રાજકોટમાં કોરોના મહામારી બાદ વધુ એક બીમારીનો કહેર જાેવા મળી રહ્યો છે. રાજ્યમાં મ્યુકર માઇકોસિસનો કહેર જાેવા મળતા તેને મહામારી જાહેર કરવામાં આવી છે. રાજકોટમાં મ્યુકરમાઇકોસિસના કેસમાં વધારો થતા ઇન્જેક્શન માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.
રાજકોટમાં ખાનગી હોસ્પિટલો દ્વારા જ ઇન્જેક્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. દર્દીના પરિવારજનોએ ઇન્જેક્શન માટે રૂબરૂમાં જવાની જરૂર નથી. સરકાર દ્વારા હોસ્પિટલોને ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવશે, જેની ચકાસણી તબીબી તજજ્ઞોની બનાવેલી સમિતી દ્વારા કરવામાં આવશે.
રાજકોટમાં મ્યુકર માઇકોસિસ મહામારીની પરિસ્થિતિમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા મ્યુકર માઇકોસિસના દર્દીઓને ન્ૈॅર્ર્જદ્બટ્ઠઙ્મ છદ્બહ્વॅર્રંીિૈષ્ઠૈહ મ્ના ઇન્જેક્શન મેળવવાની કાર્યવાહી દર્દીઓને સારવાર આપનાર જે તે ખાનગી હોસ્પિટલ દ્વારા જ કરવાની રહેશે.
ન્ૈॅર્ર્જદ્બટ્ઠઙ્મ છદ્બહ્વॅર્રંીિૈષ્ઠૈહ મ્ ઇન્જેક્શન મેળવવા માટે ખાનગી હોસ્પિટલો દ્વારા ઇન્ડેટ ફોર્મ તથા જરૂરીયાત મુજબના આધાર-પુરાવાઓ એમ.જે.કુંડલીયા કોલેજ, ચૌધરી હાઇસ્કૂલ પાસે રાજકોટ ખાતે રજુ કરવાના રહેશે.
મ્યુકર માઇકોસિસ માટે ઉપયોગી ઇન્જેક્શન મેળવવા માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.
હેલ્પલાઇન નંબર
૧) ૯૪૯૯૮૦૪૦૩૮
૨) ૯૪૯૯૮૦૬૪૮૬
૩) ૯૪૯૯૮૦૧૩૩૮
૪) ૯૪૯૯૮૦૬૮૨૮
૫) ૯૪૯૯૮૦૧૩૮૩
રાજકોટમાં મ્યુકરમાઇકોસિસનો કેર, ઇન્જેક્શન માટે કંટ્રોલ રૂમ શરૂ કરાયો

Recent Comments