ચોમાસાની ઋતુ દરમ્યાન મચ્છરનું પ્રમાણ અને મેલેરિયાનો ફેલાવો ઘણો વધી જાય છે.મેલેરિયા મુક્ત ગુજરાત, ૨૦૨૨ અભિયાન અને જુન માસ, ‘’મેલેરિયા વિરોઘી માસ’’ અંતર્ગત રાજકોટને મેલેરિયા મુકત કરવા અને લોકોમાં મચ્છાર ઉત્૫તિ અને મેલેરિયા તથા ડેન્યુ – ચીકુનગુનિયા રોગ અટકાયત અંગે જાગૃતિ આવે તે માટે વિવિઘ આરોગ્ય શિક્ષણ તથા જુદા – જુદા પ્રિમાઇસીસ તપાસી વાહક નિયંત્રણ કામગીરીની સઘન ઝુંબેશ હાથ ઘરી મેલેરીયાને અટકાવવા તથા મેલેરીયા મુક્ત ગુજરાત – ૨૦૨૨ સાર્થક માટેના પ્રયત્નો હાથ ધરવામાંઆવેલ છે.
મેયર ડો. પ્રદિ૫ ડવ, ડેપ્યુટી મેયર ડો દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ વગેરેના માર્ગદર્શન હેઠળ મેલેરિયા વિભાગના કર્મચારીઓ દ્વારા તા.૧૫/૬/૨૦૨૧ અને તા.૧૬/૬/૨૦૨૧ દરમ્યાન શહેરના મુખ્ય અને સંવેદનશીલ વિસ્તાયરોમાં આવેલ હોટલ–રેસ્ટોરેન્ટ કે જયાં મોટો માનવ સમુહ એકત્રિત થાય છે ત્યાં ચેકીંગ તથા આરોગ્ય શિક્ષણની કામગીરી હાથ ઘરવામાં આવી હતી.
આ કામગીરીમાં જુદા – જુદા વિસ્તારો માંથી કૂલ – ૧૬૨ હોટલોની મચ્છર ઉત્૫તિ સબબ મુલાકાત લઇ ૭૦ હોટલોમાં મચ્છરની ઉત્૫તિ જાેવા મળતા અથવા મચ્છાર ઉત્૫તિ થાય તેવી પરિસ્થિચતી જાેવા મળતા નોટીસ આ૫વામાં આવી હતી.
Recent Comments