સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ મનાપાના દંડક સુરેન્દ્રસિંહ વાળા કોરોના સંક્રમિત થયા



રાજકોટમાં કોરોના હવે કાળ બની રહ્યો છે. શહેરમાં ૨૪ કલાકમાં જ ૧૨ દર્દીના મોત નીપજ્યા છે. જ્યારે ૪૮ કલાકમાં મોતનો આંક ૨૩ થયો છે. આથી દર બે કલાકે એક દર્દીનું મોત નીપજી રહ્યું છે. જાેકે મોત અંગે આખરી ર્નિણય ડેથ ઓડિટ કમિટી લેશે. આજે બપોર સુધીમાં શહેરમાં નવા ૧૨૦ કેસ નોંધાયા છે. કોરોના કેસની સંખ્યાની સાથોસાથ મોતની સંખ્યામાં પણ વધારો નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આરોગ્ય વિભાગમાં ટેસ્ટિંગ સહિત વેક્સિનેશનની કામગીરી પણ પૂરજાેશમાં કરવામાં આવી રહી છે.હાલ રાજકોટ મનાપાના દંડક સુરેન્દ્રસિંહવાળા પણ કોરોના સંક્રમિત થયા છે.

રાજકોટ શહેરમાં આજે સરકારી અને ખાનગી હોસ્પિટલ ખાતે કોરોના સામેની રસીકરણમાં બપોરે ૧ વાગ્યા સુધીમાં પ્રથમ તબક્કો, પ્રથમ તબક્કાના બીજા ડોઝ, ૬૦ વર્ષથી મોટી ઉંમરના અને ૪૫થી ૫૯ વર્ષના કોમોર્બીડ ધરાવતા લોકો સહિત કુલ ૬૦૬૧ નાગરિકોએ રસી લીધી છે.
રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૯૩૯૨ પર પહોંચી છે. શહેરની અલગ અલગ હોસ્પિટલમાં ૧૦૦૩ દર્દી સારવાર હેઠળ છે. તેમજ ગુરૂવારે ૧૩૨ દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં સત્તાવાર ૧૫૭ દર્દીના મોત નીપજ્યા છે

Related Posts