રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા ગુજરાતના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામો ખાતે સાંસ્કૃતિક ઉત્સવના આયોજન અંતર્ગત ખોડીયાર ઉત્સવ કાર્યક્રમ જિલ્લા વહીવટીતંત્ર, ભાવનગર તથા શ્રી ખોડીયાર મંદીર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજન તા.૨૫ ફેબ્રુઆરી રવિવારના રોજ ખોડીયાર મંદિર પરિસર, રાજપરા તા.શિહોર જી.ભાવનગર ખાતે સાંજે ૦૬:૩૦ કલાકે યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમના ઉદ્દઘાટક અને અધ્યક્ષ શ્રી પરસોત્તમભાઈ સોલંકી,મંત્રીશ્રી, મત્સ્યોધોગ અને પશુપાલન (રાજ્યકક્ષા) ગુજરાત રાજ્ય તથા કાર્યક્રમમાં પ્રેરક ઉપસ્થિતિ આપનાર મહાનુભાવોમાં સુશ્રી રૈયાબેન મિયાણી, પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત, ભાવનગર તથા ડૉ.ભારતીબેન શિયાળ,સંસદ સભ્યશ્રી, ભાવનગર તથા શ્રી જીતેન્દ્રભાઈ વાઘાણી ધારાસભ્યશ્રી, ભાવનગર પશ્વિમ અને સુશ્રી સેજલબેન પંડ્યા ધારાસભ્યશ્રી, ભાવનગર પૂર્વ તથા શ્રી ભિખાભાઈ બારૈયાધારાસભ્યશ્રી, પાલિતાણા તથા શ્રી શિવાભાઈ ગોહિલ ધારાસભ્યશ્રી, મહુવા તથા શ્રી ગૌતમભાઈ ચૌહાણ ધારાસભ્યશ્રી, તળાજા તથા શ્રી સુધીરભાઈ વાઘાણી,ધારાસભ્યશ્રી, ગારિયાધાર તથા શ્રી શંભુનાથ ટુંડિયા ધારાસભ્યશ્રી, ગઢડા અને આ કાર્યક્રમમાં શ્રીજયવિરરાજસિંહજી ગોહિલ, યુવરાજ સાહેબશ્રી, ભાવનગર સ્ટેટ તથા અન્ય પદાધિકારીશ્રીઓ તથા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિતિ રહેશે આ કાર્યક્રમમાં જુદી-જુદી સાંસ્કૃતિક કૃતિઓ જેમ કે, માતાજીની દેવીસ્તુતિ, મિશ્ર રાસ, ઢાલ તલવાર રાસ,ટિપ્પણી નૃત્ય, ગરબો, ગોફ ગુંથણ જેવી કૃતિઓ અલગ-અલગ કલાવૃંદોની ટીમો રજૂ કરશે તથા આ કૃતિઓ પૂર્ણ થયા પછી લોક ડાયરો પણ યોજાશે જેમાં પ્રસિધ્ધ લોકડાયરા કલાકાર શ્રી યોગેશ ગઢવી પોતાના કંઠથી લોકોને સાહિત્ય અને લોકસાહિત્ય નું રસપાન કરાવશે આ આખા કાર્યક્રમના સૂત્રધાર (ઉદઘોષક) મિતુલ રાવલ રહેશે. તો આ કાર્યક્રમમાં ભાવનગરની જનતાને પધારવા ભાવભર્યું નિમંત્રણ છે.
રાજપરામાં તા.૨૫ ફેબ્રુઆરી શ્રી ખોડીયાર ઉત્સવ ૨૦૨૪ની ઉજવણી થશે

Recent Comments