અમરેલી

રાજસ્થળી હિંગળાજ સંન્યાસ આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમા મહોત્સવની પ.પૂ.મહામંડલેશ્વર જયઅંબાગીરી માતાજીના સાનિધ્યમાં ઉજવાશે

ધારી તાલુકાના રાજસ્થળી ખાતે આવેલ સુપ્રસિધ્ધ દર્શનીય અને પ્રકૃતિના ખોળે આવેલ હિંગળાજ સંન્યાસ આશ્રમ ખાતે પ.પૂ.મહામંડલેશ્વર જયઅંબાગીરી માતાજી ગુરૂશ્રી હરિગીરી બાપુના સાનિધ્યમાં આગામી તારીખ.-03/07ને સોમવારે ગુરૂપૂર્ણિમાના પાવન પ્રસંગની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે આતકે લ મહામંડલેશ્વર જયઅંબાગીરી માતાજીના સેવક અને શિષ્ય સમુદાય આશ્રમ ખાતે ઉપસ્થિત રહી પૂજન, અર્ચન, સત્સંગ, મહાપ્રસાદ ધ્વજારોહણ વગેરે ધાર્મિક કાર્યક્રમોની ભવ્ય ઉજવણી કરવામાં આવશે તેમ આશ્રમ સેવક અર્જુનગીરી ગોસ્વામીની યાદી જણાવેલ.

Related Posts