મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજસ્થાનમાં જયપુર નેશનલ હાઇવે પર ભાવનગરની ખાનગી પ્રવાસી બસને નડેલા ગંભીર માર્ગ અકસ્માતમાં જાન ગુમાવનારા વ્યક્તિઓ પ્રત્યે સહાનભૂતિ વ્યક્ત કરી તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ આ મૃતકો ના પરિવારજનો પ્રત્યે પણ પોતાની સંવેદના વ્યક્ત કરી દિલસોજી પાઠવી છે. આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત લોકો પણ જલ્દી સાજા થાય તે માટે પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાર્થના કરી છે
રાજસ્થાનમાં થયેલ માર્ગ અકસ્માતની કરુણ ઘટનામાં ગુજરાતના જે યાત્રિકોએ જીવ ગુમાવ્યો તે પ્રત્યેકના પરિવારજનને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય ગુજરાત સરકાર કરશે. દુ:ખની આ ઘડીમાં રાજ્ય સરકાર મૃતકો અને ઇજાગ્રસ્ત યાત્રિકોના સ્વજનોની પડખે છે.
Recent Comments