અરવિંદ કેજરીવાલે ફોન પર અંબરીશ ડેર સાથે વાતચીત કરી
ધારાસભ્ય અંબરીશ ડેર સાથે વાત કરીને તમામ વિગતો સાંભળી ડોક્યુમેન્ટ મગાવ્યા છે
છેલ્લા 8 દિવસથી રાજુલા શહેરી વિસ્તારમાં રેલવેની પડતર જમીનનો શહેરના વિકાસ માટે ઉપયોગ કરવાનો મુદ્દો જોર પકડતો જાય છે. રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરે આ પડતર જમીન પાલિકાને આપવા માટે તમામ સ્તરે રજૂઆત કરી છે અને હવે બર્બટાણા રેલવે સ્ટેશને ઉપવાસ આંદોલન હાથ ધર્યું છે. એવા સંજોગોમાં હવે રાષ્ટ્રીય નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરંવિદ કેજરીવાલે પણ આ મુદ્દામાં રસ લીધો છે અને આ સંદર્ભે ધારાસભ્ય અંબરીશ ડેર સાથે વાત કરીને તમામ વિગતો સાંભળી ડોક્યુમેન્ટ મગાવ્યા છે. ગુજરાતના મુખ્યપ્રધાન શંકરસિહ વાઘેલાએ તો આ મામલે કેન્દ્રના રેલવેમંત્રી પીયૂષ ગોયલને સાંકળી લીધા છે અને આ મુદ્દામાં રેલવેમંત્રી ઉકેલ લાવવો જોઈએ એવો નિર્દેશ ટ્વીટ દ્વારા કર્યો છે
Recent Comments