અમરેલી

રાજુલામાં ૧૭ ડિસેમ્બરે આર.ટી.ઓનો રી-પાસીંગ- પાસીંગ કેમ્પ યોજાશે

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી – અમરેલી દ્વારા અમરેલી જિલ્લાના રાજુલા મુકામે તા.૧૭/૧૨/૨૦૨૨ના રોજ આરટીઓ અમરેલી દ્વારા બલાડ માતાનું મંદિર, પીપાવાવ પોર્ટ  ખાતે રી-પાસીંગ અને પાસીંગ (CERA) કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો સમય સવારે ૧૦.૩૦થી સાંજે ૬.૧૦ વાગ્યા સુધીનો છે. કેમ્પની તારીખ પહેલાં વાહન પાસીંગની ઓનલાઈન ફી ભરી કચેરી ખાતે ઈન્વર્ડની કામગીરી પૂર્ણ કરાવી દર્શાવેલા સ્થળે વાહનનું ઈન્સપેક્શન કરાવવાનું રહેશે.  અરજદારો આ કામગીરી માટે કેમ્પમાં ભાગ લઈ શકે છે, તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી અમરેલીએ જણાવ્યું છે. કેમ્પના દિવસે રાજુલા આર.ટી.ઓ કચેરીમાં ફીટનેસ અંગેની કામગીરી થશે નહીં.

Related Posts