અમરેલી

રાજુલા અને જાફરાબાદ વિસ્તારના નાગરિકોને શેલ્ટર હોમ ખાતેના આશ્રિતોને આરોગ્યલક્ષી સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર કાર્યરત

વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઇ જિલ્લાના રાજુલા અને જાફરાબાદ વિસ્તારના નાગરિકોને શેલ્ટર હોમ ખાતે આશ્રય આપવામાં આવ્યો છે. આશ્રિતોને આરોગ્યલક્ષી સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ચાંચ સહિતના વિસ્તારોમાં આરોગ્ય કાર્યકર દ્વારા રાત્રે પણ ફરજ પર ઉપસ્થિત રહી આશ્રિતોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી.

Related Posts