અમરેલી

રાજુલા ખાતે સ્વ. દિનેશભાઈ સરવૈયા ની પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પ યોજાયો

રાજુલા ખાતે સ્વ. દિનેશભાઈ સરવૈયા ની પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પ યોજાયો. સાંસદ, ધારાસભ્ય, સાધુ સંતો સહિત બહોળી સંખ્યામાં લોકો જોડાયા. રાજુલા ના પ્રતિષ્ઠિત વેપારી સ્વ. દિનેશભાઈ લાલજીભાઈ સરવૈયા ની 7 મી પુણ્યતિથિ નિમિત્તે સાગર સરવૈયા અને સરવૈયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું, આ તકે 86 લોકો એ રક્તદાન કર્યું હતું, સાગર સરવૈયા દ્વારા દર વર્ષે આ કેમ્પ નું આયોજન કરવામાં આવે છે. આ તકે અમરેલી ના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, શ્રી ભક્તીરામ બાપુ – માનવ મંદિર, સાવરકુંડલા, શ્રી યજ્ઞેશભાઈ ઓઝા, શ્રી નારાયણદાસજી સ્વામી સહિત ના આગેવાનો, વેપારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts