અમરેલી

રાજુલા-જાફરાબાદના વિવિધ વિસ્તારોમાં તા.૨ ફેબ્રુઆરી સુધીઇવીએમ તથા વીવીપેટ નિદર્શન અને મતદાર જાગૃત્તિ અર્થે રથ ફરશે

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ઇવીએમ તથા વીવીપેટ નિદર્શન અને મતદાર જાગૃત્તિ અર્થે રથ ફેરવવામાં આવશે. ૯૮-રાજુલા જાફરાબાદ વિધાનસભા મતદાર વિભાગના વિવિધ વિસ્તારોમાં તા.૨ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધી આ રથ ફરશે.

          જાન્યુઆરી-૨૦૨૪ દરમિયાન સવારે ૧૦.૩૦ વાગ્યાથી આ રથ ઇવીએમ તથા વીવીપેટ નિદર્શન અને મતદાર જાગૃત્તિ અર્થે કામગીરી કરશે. તા.૪થીએ ચારોડીયા, બર્બટાણા, ખેરાળી મોટી, બાબરીયાધાર, અમુલી, નવાગામ, તા.૫મીએ વડલી, ઝાંઝરડા, કુંડલીયાળા, રીંગણીયાળા મોટા, તા.૬ઠ્ઠીએ માંડળ, છાપરી, ડોળીયા, મસુંદડા નાના-મોટા, બાલાપર, તા.૮મીએ હડમતીયા, ઉંટીયા-ગાંજાવદર, રાજપરડા, ડુંગર, તા.૯મીએ વિસળીયા, સમઢીયાળા-૧, ખેરા, ચાંચ, તા.૧૦મીએ વિકટર, મજાદર, કથીવદર, કથીવદર પરા, દાતરડી, રાભડા, સાંજણાવાવ, નેસડી-૧, તા.૧૧મીએ ખાંભલીયા, દેવકા, કુંભારીયા, ઝીંઝકા, ડુંગરપરડા, મોભીયાણા નાના-મોટા, મોરંગી, તા.૧૨મીએ વડ, ભચાદર, ઉચૈયા, ભેરાઇ, રામપરા-૨, કોવાયા, તા.૧૫મીએ હિંડોરણા, છતડીયા, કડીયાળી, નિંગાળા-૧, પીપાવાવ, જોલાપર ખાતે રથ ફરશે. 

           તા.૧૬મીએ ઘુડીયા આગરીયા, ઘુડીયા આગરીયા (સમૂહ ખેતી), વાવડી, નવા આગરીયા, મોટા આગરીયા, ભાક્ષી-૧, ૨,૩, તા.૧૭મીએ માંડરડી નવી-જૂની, ઝાંપોદર, કોટડી, કાતર, ચોત્રા, ખાખબાઇ, બારપટોળી, તા.૧૮મીએ બોરાળા-૧, બોરાળા-૨, બાબરપુર, ચક્રાવા, ચક્રાવાપરા, હનુમાનપુર, તાલડા-૧, તાલડા-૨, દડલી, જૂના માલકનેશ, નવા માલકનેશ-૧, નવા માલકનેશ-૨, તા.૧૯મીએ કંટાળા, ઘુંઘવાણા, પચપચીયા, આંબલીયાળા, રબારિકા, પીપરીયા, સાળવા, જામકા-૧, જામકા-૨, જામકા-૩, તા.૨૦મીએ ડેડાણ-૧, ડેડાણ-૨, ડેડાણ-૩, ડેડાણ-૪, ડેડાણ-૫, કાતરપરા, જીવાપર, સમઢીયાળા-૨, નેસડી-૨, રાણીંગપરા, મુંજીયાસર-૧, મુંજીયાસર-૨, તા.૨૨મીએ ત્રાકુડા-૧, ત્રાકુડા-૨, ગોરાણા, મોટા બારમણ-૧, મોટા બારમણ-૨, મોટા બારમણ-૩, નાના બારમણ, ભુંડણી, નિંગાળા-૨, વાંગધ્રા, તા.૨૩મીએ વડલી, કેરાળા, ધારાબંદર, રોહિસા, ચિત્રાસર, બલાણા ખાતે રથ ફરશે.  તા.૨૪મીએ કડીયાળી, વઢેરા, ધોળાદ્રી, ઘેંસપુર, નાના-મોટા સાકરીયા, ભાડા, તા.૨૫મીએ પાટી માણસા, મોટા માણસા, ટીંબી, છેલણા, તા.૨૯મીએ ફાચરીયા, પીછડી, એભલવડ, લોર, હેમાળ, નવી જીકાદ્રી, જૂની જીકાદ્રી, દૂધાળા, તા.૩૦મીએ લોઠપુર, લુણસાપુર, વાંઢ, મીતીયાળા, બાબરકોટ, વારાહ સ્વરુપ, ભાંકોદર, તા.૩૧મીએ સરોવડા, કાગવદર, ભટવદર, કોળી કંથારીયા, ખાલસા કંથારીયા, મીઠાપુર, નાગ્રેશ્રી, ફેબ્રુઆરી-૨૦૨૪ દરમિયાન તા.રજીએ શિયાળબેટ, જાફરાબાદ શહેરી વિસ્તારના બુથ નં.૨૭૩,૨૭૫,૨૭૬, ૨૮૦ થી ૨૮૫ અને જાફરાબાદ શહેરી વિસ્તારના બુથ નં.૨૭૪, ૨૭૭, ૨૭૮, ૨૭૯, ૨૮૬ થી ૨૯૪ ખાતે રથ ફરશે.

          લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ઇવીએમ તથા વીવીપેટ નિદર્શન અને મતદાર જાગૃત્તિ અર્થે રથ ફેરવવામાં આવે ત્યારે નાગરિકોને તેનો લાભ મેળવવા રાજુલા જાફરાબાદ મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts