રાજુલા જાફરાબાદ અને ડેડાણ પંથક ના વાવાઝોડા માં અસરગ્રસ્તો ને ચોટીલા રાજવી ખાચર પરીવાર દ્વારા રાશન કિટો વિતરણ કરવામાં આવી.- 500 મણ ઘઉં નો લોટ દળાવી 200 કિટો તૈયાર કરી વિતરણ કરવામાં આવ્યું.
તોકતે વાવાઝોડા માં અસરગ્રસ્તો ને ચોટીલા દરબાર ગઢ ડાયરો ખાચર પરિવાર દ્વારા અમરેલી જીલ્લાના રાજુલા જાફરાબાદ તાલુકા ના અને ડેડાણ પંથક ના ગ્રામ્ય વિસ્તારોમાં ૫૦૦ મણ ઘઉં દળાવી તેનો લોટ અને બિસ્કિટ ની ૨૦૦ કિટો તૈયાર કરી અસરગ્રસ્ત લોકો ના ઘરે ઘરે જઈ વિતરણ કરવામાં આવ્યું હતું ચોટીલા દરબાર ગઢ ના યુવાનો દ્વારા બે લાખ કરતા વધુ રકમ ખાચર પરિવાર દ્વારા એકત્રીત કરી રાશન કિટો બનાવી વિતરણ કર્યું હતું.
રાજુલા જાફરાબાદ અને ડેડાણ પંથકના વાવાઝોડામાં અસરગ્રસ્તો માટે ચોટીલા રાજવી ખાચર પરીવાર દ્વારા રાશન કિટો વિતરણ કરવામાં આવી

Recent Comments