અમરેલી

રાજુલા મા બજરંગ દલ દ્રારા ત્રિશુલ દીક્ષા કર્યકામ યોજાયો

રાજુલા જાફરાબાદ પંથકમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહિત ની સંસ્થાઓ મારફતે વિવિધ કાર્યક્રમો યોજી હિન્દુ સંગઠનને મજબૂત બનાવી રહ્યા છે ત્યારે રાજુલા-જાફરાબાદ માં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્રારા ત્રિશુલ દીક્ષા કાર્યકામ યોજવામાં આવ્યો હતો જેમાં રાજુલા જાફરાબાદ તાલુકામાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના લોકો ગામડે ગામડે થી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હિન્દુ અગ્રણીઓ દ્વારા હિન્દુ સમાજને હિન્દુ વિશે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું તારીખ 10.4 2022 ને રવિવારના દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામની રામ નવમી તહેવાર નિમિત્તે રાજુલા શહેરમાં ઐતિહાસિક ભવ્ય શોભાયાત્રા નીકળી જ નીકળશે જેમાં હજારો ભાવિક ભક્તો ગામડે ગામડેથી ઉમટી પડવાના છે રાજુલા શહેર ના જુના સ્વામિનારાયણ મંદિરે સવારે 9 વાગે શોભાયાત્રા નિકળશે અને શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી જલારામ મંદિર સુધી પસાર થવાની છે તે ને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે રામનવમીના તહેવાર ની શોભાયાત્રા સહિત વિવિધ હિન્દુ સંગઠન દ્વારા શોભાયાત્રા લક્ષી કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા હતા આવનારી રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળવા જઈ રહી છે

Related Posts