અમરેલી

રાજુલા-વિજપડી રોડ પર ધરાશાયી થયેલ વૃક્ષને તંત્ર દ્વારા હટાવાતા રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો

અમરેલી જિલ્લાના રાજુલા-વિજપડી રોડ પર એક વૃક્ષ ધરાશાયી થતાં રસ્તો બંધ થયો હતો, રસ્તા પર પડેલા વૃક્ષને સ્થાનિક તંત્ર દ્વારા હટાવવામાં આવતા રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. હવામાન ખાતાની આગાહીના પગલે અને પ્રવર્તમાન વરસાદની સ્થિતિને ધ્યાને રાખી, જિલ્લાના નાગરિકોને સાવચેત અને સલામત રહેવા અપીલ છે.

Related Posts