પોરબંદર સાન્દિપનિ ના હાર્દિક ભાઈ જોષી ની નિશ્રા મા ‘સૌરભ સંસ્થાન’ નું સફળ આયોજન પથ્થર ના શહેર રાજુલા મા ગત તા ૧૧/૪/૨૩ ને મંગળવાર ના રોજ ગાંધી મંદિર હોલ ખાતે સાંજે ૪.૦૦ થી ૬.૩૦ ના સમયે કવિ સંમેલન અને સન્માન કાર્યક્રમનુ આયોજન જાણીતા કવિ શશિભાઈ રાજ્યગુરુ ‘હેમાળવી’ સંચાલિત સૌરભ સાહિત્ય સંસ્થાન રાજુલા દ્વારા થયું હતું . પોરબંદર ના સાંદીપનિ વિધ્યાનિકેતન ના ભાગવતાચાર્ય શ્રી અને પૂ ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના કૃપાપાત્ર શિષ્ય હાર્દિક ભાઈ જોષી ની નિશ્રામા આ કાર્યક્રમ યોજાયો હતો.અમરેલી જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ના અધ્યક્ષશ્રી ઈતેષભાઈ મહેતા તેમજ રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રમુખ શ્રી બિપિન ભાઈ વેગડા, નાગરીક બેન્કના ચેરમેન શ્રી બાબુભાઈ કોટીલા એ અતિથિ વિષેશ તરીકે હાજરી આપી હતી.આ કાર્યક્રમનો પ્રારંભ મહેમાનો દ્વારા દિપ પ્રાગટય, સમુહ પ્રાર્થના દ્વારા થયો હતો.
મુખ્ય મહેમાનો ભાગવતાચાર્યશ્રી હાર્દિકભાઈ જોષી, તેમજ ઈતેષભાઈ મહેતાનું સન્માપત્ર, શાલ, ફુલહાર થી વિશેષ સન્માન થયુ હતું. અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત કથાકારશ્રી હિતેષભાઈ ઝાંખરા, લોકસાહિત્યકાર શ્રી જોરુભાઈ ધાખડા તેમજ શૈલેષભાઈ વાઘેલાનુ સન્માન સંસ્થાના પથદર્શક શ્રી જે. પી. ડેર સાહેબ દ્વારા કરવામા આવ્યુ હતું. આ કાર્યક્રમમાં, ડાયરેકટરશ્રી નિતિનભાઈ પંડ્યા, રાજુલા બ્રમ્હ સમાજ અગ્રણી મનોજભાઈ વ્યાસ,વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ના મેમ્બર વિપુલભાઈ લહેરી, મનસુખ વાઘેલા,નિ. ના. મામલતદારશ્રી જે. એસ. તેરૈયા સાહેબ તેમજ વિજયભાઈ તેરૈયા એ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં રાજુલા વિસ્તારના કવિઓ એ કવિ સંમેલન મા ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. અને સ્વ રચિત ગીતો, ગઝલો, દુહા, છંદો, કવિતાઓ આગવી શૈલી મા રજુ હતી .કવિશ્રી જે.પી. ડેર દ્વારા સ્વ રચિત કાવ્ય રચનાઓ ગેય સ્વરુપે રજુ કરતા શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા હતા.
કવિ હેમાળવી દ્વારા રાજુલા શહેર પરની રચના ‘એ પથ્થર છે રાજુલા શહેર ના’ પર શ્રોતાઓ ઝુમી ઉઠ્યા હતા. કવિ લોકગાયક અને લોકસાહિત્યકાર શૈલેષભાઈ વાઘેલાએ લોકસાહિત્ય ની સાથે તેમની રચાઓ રજુ કરી પ્રેરક પ્રવચનમા શ્રી હાર્દિક ભાઈ જોષીએ કવિઓ ની કવિતા કલ્પના અને વાણી એ હિમાલય માથી નીકળતી ગંગા, યમુના, સરસ્વતી જેમ અસ્ખલિત વહેતી નદી ઓ ની ધારા સાથે સરખાવી હતી. સૌરભ સંસ્થાન રાજુલા ની સાહિત્ય પ્રવૃતિ ને બિરદાવી હતી અને કવિ ‘હેમાળવી’ ના રાજુલા શહેર મા કવિતા લેખન કલા અને સાહિત્ય વારસા ને જીવંત રાખવાના પ્રયાસો ને બિરદાવ્યા હતા.ઈતેષભાઈ મહેતાએ તેમના પ્રવચન મા સાહિત્ય દ્વારા ધર્મ જાગૃતિ અને મૂલ્ય નિષ્ઠ સમાજ નુ નિર્માણ કરવાની હિમાયત કરી હતી
. કવિઓ શ્રી નસીમબેન પઠાણ, નવિનભાઈ નાયી, રમેશભાઈ મારુ, ભૂમિ બેન પંડ્યા એ ગઝલો રજુ કરી હતી. રાહુલ મહેતા ‘રાહ, વિજયભાઈ પ્રજાપતિ ‘કુમાર’, વર્ષાબેન પંપાણીયા એ ગીતો અને ઉર્મિકાવ્યો રજુ કર્યા હતા.પૂર્વિબેન લુહારે વારતા તેમજ યોગેશ્વરીબેન જોષીએ તેમની રચનાઓ રજુ કરી હતી. હાજર ન રહી શકનાર સૌરભ સંસ્થાન સંલગ્ન કવિઓ શ્રી જાગૃતિબેન રાજ્યગુરુ-રાજુલા, નયનાબેન ગહિલ-વડોદરા, હિનલબેન જોષી- હોંગ કોંગ એ ટેલિફોનીક શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં ગાંધી મંદિર કેમ્પસ ડાયરેકટરશ્રી પ્રવિણભાઈ જાની, વિજયભાઈ જોષી ધર્મેન્દ્ર ભાઈ જોષી, અનિલભાઈ જોષી, રાકેશભાઈ દવે, વગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમ ને સફળ બનાવવા હરેશભાઈ તેરૈયા, હર્ષદભાઈ હડીયા એ સફળ આયોજન કર્યું હતું.
Recent Comments