ગુજરાત

રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી સહિત ધારાસભ્યોને શપથ માટે આવ્યા હતા ફોન

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદેથી રાજેન્દ્ર ત્રિવેદીએ રાજીનામું આપ્યું છે. તેમને મંત્રી મંડળ માટે શપથ લેવા ફોન આવ્યો છે. રાજેન્દ્ર ત્રિવેદીના રાજીનામા બાદ નીમાબેન આચાર્યને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે. પક્ષ તરફથી જે નામ જાહેર કરવામાં તેમાં કોઈને રિપીટ નથી કરવામાં આવ્યા. આથી પહેલાથી જે કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે પાર્ટી નો-રિપીટ થિયરી અપનાવી રહી છે તે સાચી સાબિત થઈ રહી છે. બીજી તરફ કાૅંગ્રેસમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં આવેલા અને પેટા-ચૂંટણીને ધારાસભ્ય બનેલા ત્રણ જેટલા ધારાસભ્યોને મંત્રીપદ માટે ફોન આવ્યો છે. જેમાં બ્રિજેશ મેરજી, જે.વી.કાકડિયા અને જીતુ ચૌધરીનો સમાવેશ થાય છે.ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળ માટે આજે શપથવિધિ સમારોહ યોજાશે.

ભારતીય જનતા પાર્ટી તરફથી છેલ્લી ઘડી સુધી કયા કયા મંત્રીઓ શપથ ળેશે તેની યાદી જાહેરા કરવામાં આવી ન હતી. જાેકે, આજે સવારે ૧૦ વાગ્યાથી ધારાસભ્યોને શપથ માટે ફોન કૉલ શરૂ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ પહેલ ગઈકાલે એટલે કે ૧૫ સપ્ટેમ્બરના રોજ યોજાનાર હતો પરંતુ તેને મુલતવી રાખવામાં આવ્યો હતો. ૧૦ વાગ્યા બાદ શપથવિધિ માટે જે ધારાસભ્યોને ફોન કૉલ આવી રહ્યા છે તેમાં ભાવનગર પશ્ચિમ બેઠક પરથી ધારાસભ્ય રહેલા જીતુ વાઘાણી ના નામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સુરતના યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીનું નામ પણ સામેલ છે. બીજી તરફ પંકજ દેસાઈ ને દંડત તરીકે યથાવત રાખવામાં આવ્યા હોવાના સમાચાર મળ્યા છે.

Related Posts