ગુજરાત રાજ્યના સહકાર, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ (સ્વતંત્ર હવાલો), વાહન વ્યવહાર જેવા વિભાગોના રાજ્યકક્ષાના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ તા. ૧૩ ઓગસ્ટથી અમરેલી જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારશે. ૧૩ ઓગસ્ટના મોડી સાંજે મંત્રીશ્રીનું સર્કિટ હાઉસ ખાતે આગમન થશે. આજે તા. ૧૪ ઓગસ્ટના સવારે ૯ કલાકે અમરેલી તાલુકાના મોટા ભંડારીયા સ્થિત જવાહર નવોદય વિદ્યાલય ખાતે રાજ્યકક્ષાના ૭૨માં વન મહોત્સવ અંતર્ગત અમરેલી જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ વહીવટી તંત્ર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ સાંજે ૫.૩૦ કલાકે દિલીપ સંઘાણી સાંસ્કૃતિક હોલ અમરેલી ખાતે યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે.
૧૫ મી ઓગસ્ટના અમરેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાના ૭૫માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિતે યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે ત્રિરંગાને સલામી આપશે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે મંત્રીશ્રી રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજને સલામી આપી પરેડનું નિરિક્ષણ કરશે.
Recent Comments