ગુજરાત

રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોનું ૧૦૦ ટકાe-KYC કરાવવા ઝુંબેશ હાથ ધરાઈઃ અત્યાર સુધીમાં ૭૮ લાખથી વધુ લાભાર્થીઓનીe-KYC પ્રક્રિયા પૂર્ણ

રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં ‘સ્રૂ ઇછ્‌ૈર્ંંદ્ગ’ મોબાઈલ એપ સહિત વિવિધ ત્રણ રીતે ી-દ્ભરૂઝ્ર કરાવી શકશે કેન્દ્ર સરકારના અન્ન અને જાહેર વિતરણ વિભાગ દ્વારા ગુજરાત સહિત તમામ રાજ્યના લાભાર્થીઓના-જનસંખ્યાના રેશનકાર્ડને આધાર નંબર સાથે સીડ કરી સાચા અને તે જ વ્યક્તિના આધાર નંબરો સીડ થાય તે માટે ૧૦૦ ટકા ી-દ્ભરૂઝ્ર સમયમર્યાદામાં પૂર્ણ કરવા દેશવ્યાપી ઝુંબેશ હાથ ધરાઈ છે. આ ઝુંબેશમાં સહભાગી થઇને ી-દ્ભરૂઝ્ર કરાવવા રેશનકાર્ડ ધરાવતા લાભાર્થીઓને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

વધુમાં યાદીમાં જણાવ્યા મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૬.૧૯ લાખ રેશનકાર્ડનાં ૭૮.૫૪ લાખ લાભાર્થીઓની ી-દ્ભરૂઝ્ર વેરીફીકેશન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે, બાકીના રેશનકાર્ડ લાભાર્થીઓની ી-દ્ભરૂઝ્ર પ્રક્રિયા વેહલી તકે પૂર્ણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

રેશનકાર્ડ ધારકો હવે સરળતાથી ઘરેબેઠાં ‘સ્રૂ ઇછ્‌ૈર્ંંદ્ગ’ મોબાઈલ એપ્લિકેશન થકી ી-દ્ભરૂઝ્ર કરી શકે છે. આ ઉપરાંત તાલુકા કક્ષાએ મામલતદાર- ઝોનલ કચેરીમાં, ગ્રામીણ સ્તરે ઈ-ગ્રામ કેન્દ્રમાં ફ.ઝ્ર.ઈ દ્વારા ‘આધાર’ આધારિત બાયો-મેટ્રિક પ્રમાણીકરણ તેમજ ‘ઁડ્ઢજી ’ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ‘આધાર’ આધારિત ‘ફેસ ઓથેન્ટિકેશન’ દ્વારા આમ, ત્રણ રીતે ી-દ્ભરૂઝ્ર કરાવી શકે છે.

ખાસ ઉલ્લેખનીય છે કે, રેશનકાર્ડ ધારકે ી-દ્ભરૂઝ્ર કરાવવા રેશનકાર્ડ નંબર, મોબાઈલ નંબર તેમજ આધાર નંબરની માત્ર વિગતો આપવાથી જ ી-દ્ભરૂઝ્રની પ્રક્રિયા પૂર્ણ થઇ જાય છે. જ્યારે, વિવિધ વ્યક્તિગત પુરાવાની નકલો-ઝેરોક્ષ કોપી કે બેંક એકાઉન્ટની વિગતો આપવાની જરૂર નથી. ઉપરાંત રેશનકાર્ડ લાભાર્થી પોતે ઘરેબેઠાં ી-દ્ભરૂઝ્ર કરી શકે અથવા સરકાર હસ્તક કાર્યરત ઈ-ગ્રામ કેન્દ્ર, મામલતદાર અને ઝોનલ કચેરીથી જ પ્રક્રિયા કરાવવાની રહેશે. આ સિવાય પોતાની કોઈપણ ખાનગી માહિતી અન્ય વ્યક્તિને આપવી નહિ તેની ખાસ તકેદારી રાખવા, અન્ન અને નાગરિક પુરવઠા કચેરી, ગાંધીનગરની યાદીમાં વધુમાં જણાવાયું છે.

Related Posts