૯૦ના દાયકામાં પોરબંદરમાં ગેંગવોર ઉપર કંટ્રોલ કરીને કાયદો વ્યવસ્થાને લાઇન પર લાવનાર એવાં ગુજરાત રાજ્યના નિવૃત્ત આઇપીએસ અધિકારી અને પૂર્વ પોલીસવડા તીર્થરાજનું આજે વહેલી સવારે જ નિધન થયું છે.
નિવૃત્ત આઇપીએસ તીર્થરાજ ગુજરાત કેડરની ૧૯૮૪ ની બેચના અધિકારી હતાં. ૬૨ વર્ષની વયે તેઓના નિધનથી આઇપીએસ લોબી સ્તબ્ધ થઇ ગઇ છે. તેઓ અમદાવાદ ખાતે જ રહેતા હતાં. આજે સવારે તેઓને હ્રદયરોગનો હુમલો આવતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેઓને સારવાર મળે એ પહેલાં જ તેમને મૃત જાહેર કરાયા હતાં. જાે કે, તમને જણાવી દઇએ કે, આ સમાચાર વાયરલ થતા જ તેમના તાબા હેઠળ ફરજ બજાવનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તેમના નિવાસસ્થાને દોડી ગયા હતા અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
Recent Comments