ગુજરાત

રાજ્યમાં કોરોનાની સાથે સ્વાઈનફ્લૂના કેસમાં પણ વધારોરાજકોટ જિલ્લામાં એક માસમાં સ્વાઈન ફ્લૂના ૧૬ દર્દી નોંધાયા હતા

રાજ્યમાં કોરોનાની સાથે સ્વાઈનફ્લૂના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. આ અગાઉ રાજકોટમાં કોટડાસાંગાણીની યુવતીનું સ્વાઈન ફ્લૂથી મોત થયુ હોવાનું સામે આવ્યુ હતુ. રાજકોટ જિલ્લામાં એક માસમાં સ્વાઈન ફ્લૂના ૧૬ દર્દી નોંધાયા હતા. જેમાં જેતપુરમાં ૫ કેસ નોંધાયા હતા. તેમજ ધોરાજી, લોધીકા અને પડધરીમાં એક-એક સ્વાઈન ફ્લૂના કેસ નોંધાયા હતો. આ ઉપરાંત ઉપલેટા, જસદણ અને રાજકોટમાં સ્વાઈન ફ્લૂના ૨ કેસ નોંધાયા હતા. તેમજ અમદાવાદમાં પણ છેલ્લા ૧૦ દિવસમાં સ્વાઈન ફ્લુના ૬૦ જેટલા કેસ નોંધાયા હતા.

સ્વાઈન ફ્લુ એક ચેપી રોગ છે. આ રોગ ઉધરસ કે છીંક ખાતી સમયે છોડવામાં આવતા બેક્ટેરિયાના પગલે સ્વાઈન ફ્લુ ઝડપથી ફેલાય છે. સામાન્ય રીતે ઉનાળા અને ચોમાસાના મહિનામાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થાય છે. સ્વાઈન ફ્લુના સામાન્ય લક્ષણોમાં શરદી, તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, થાક, ઝાડા, ઉબકા કે ઉલટી, વહેતું નાક વગેરેનો સમાવેશ થાય છે. સ્વાઈન ફ્લુ ગંભીર હોય તો, શ્વાસ લેવામાં તકલીફ, ન્યુમોનિયા, ઓક્સિજનની અછત, છાતીમાં દુખાવો, સતત ચક્કર, ભારે નબળાઈ અને સ્નાયુઓમાં દુખાવો જેવા લક્ષણો દેખાઈ શકે છે. કોરોનાની જેમ સ્વાઈન ફ્લૂ રોગમાં પણ તે દર્દીના ફેફસાને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં જે લોકો પહેલાથી જ ફેફસાના રોગથી પીડિત છે, જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે, આવા લોકો આ રોગનો શિકાર બને છે.

Related Posts