ગુજરાત સરકાર દ્વારા વખતો વખત ખેડૂતો દ્વારા તળાવો ઉંડા કરવાની મંજૂરી માર્ચ મહિનાથી આપવામાં આવતી હતી. જેના લીધે રાજ્યના ખેડૂતોને ઉનાળું પાકની સીઝનમાં પાણીની તંગી સર્જાય તેવી પરિસ્થિતિ ઉભી થતી હતી. અમરેલી ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઇ વેકરિયાને આ બાબત ધ્યાને આવતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબને ખેડૂતો દ્વારા તળાવો ઉંડા કરવાની મંજૂરી જાન્યુઆરી મહિનામાં જ આપવામાં આવે જેથી રાજ્યના ખેડૂતોને બે માસ જેટલો તળાવ ઉંડા કરવાનો વધુ સમય મળે જેથી ઉંડા થયેલ તળાવમાં પાણી ભરીને ઉનાળા દરમ્યાન તે પાણીનો ઉનાળું પાકના પીયત માટે ઉપયોગ કરી શકે તેવા ઉમદા આશયથી વધુ એક ખેડૂત લક્ષી નિર્ણય લેવા રજૂઆત કરાઇ હતી.
રાજ્યમાં ખેડૂતો દ્વારા તળાવ ઉંડા કરવાની મંજૂરી જાન્યુઆરી મહિનાથી આપવામાં આવે તેવી મુખ્યમંત્રીને રજૂઆત



















Recent Comments