ગ્લોબલ વોર્મિંગનાં પરિણામે વાતાવરણમાં અનેક બદલાવ જોવા મળી રહ્યા છે. રાજ્યના ખેડૂતો અને તેમનો પાક ગ્લોબલ વોર્મિંગ અને બદલાતા વાતાવરણનો ભોગ ન બને તે માટે આ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. દિવાળી પછી શરુ થતી રવી ઋતુમાં ખેડૂતોએ રવી પાકોના વાવેતરની શરુઆત કરી છે. ચણા, રાઇ, લસણ, જીરુ. ઘઉં, ધાણા, ડુંગળી અને મેથી પાકને ઉચ્ચ ગુણવત્તા ધરાવતો ધરુ અગાઉથી જ મેળવી લેવો. રવી પાકના બીજને સ્ફુરણ માટે ગરમ તાપમાન અનુકુળ ન હોવાથી દિવસના વધારે તાપમાન અથવા ગરમ તાપમાનના સમયગાળા દરમિયાન રવી પાકોનું વાવેતર ટાળવું હિતાવહ છે. રવી પાકોની વાવેતર અવસ્થામાં ઉગાવા પર અસર ના થાય તે માટે વધારે તાપમાનની અસર ના થાય, આથી વધારે તાપમાનની અસર સામે પાકોને સાંજના સમયે વારંવાર હળવું પિયત (શક્ય હોય તો ફુવારા અથવા ડ્રીપથી) આપવું જોઈએ. આ અગમચેતીના પગલા અનુસરી ખેડૂતો સારી પાક માવજત કરી શકશે. ભારત સરકારની મેઘદૂત મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી રાજ્યભરના અને જિલ્લાના ખેડૂતો કૃષિ હવામાન માર્ગદર્શક સેવાઓ અને હવામાન વિભાગની ખેડૂતો માટેની આગાહી સરળતાથી જાણી શકશે. સ્થાનિક ભાષામાં પણ આ વિગતો મેળવી શકશે. https://play.google.com/store/apps/details?id=com.aas.meghdoot&pcampaignid=web_share મેઘદૂત એપ્લિકેશન આ લીંક પર ક્લીક કરીને ડાઉનલોડ કરવી તેમ અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
રાજ્યમાં ગરમ તાપમાનને ધ્યાને લઈ રવી પાકોનું વાવેતર માટે અગમચેતીના વિશેષ પગલાઓ અનુસરવા



















Recent Comments