અમરેલી

રાજ્યમાં ૧૮ થી ૪૫ વયના લોકોને આપવામાં આવતી વેકસીન સ્વદેશી કે વિદેશી? લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્યના મુખ્યમંત્રી ને પત્ર પાઠવી માહિતી માંગી દેશમાં ઉત્પાદિત વેકસીનપર શા માટે GST વસુલ કરવામાં આવી રહી છે ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો જેવી વાત થઈ

લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર પાઠવી રાજ્યમાં ૧૮ વરસ થી ૪૫ વયના લોકોને કરવામાં આવતી વેકસીનેશન મુદ્દે વિવિધ માહિતી માંગવામાં આવેલ છે.

ધારાસભ્યએ મુખ્યમંત્રીને પાઠવેલપત્રમાં જણાવ્યું છે કે હાલ કોરોના મહામારીમાં વેકસીનેશન એજ એક દવા પુરવાર થઇ રહી છે ત્યારે રાજ્ય વેકસીન મુદ્દે કેવી રીતે કામ કરી રહ્યું છે અને શું જે વેકસીન છે તે સ્વદેશી છે કે વિદેશી તેમજ સ્વદેશી વેકસીન ને gst માં થી શા માટે મુક્ત નથી કરવામાં આવી શુ તેના માટે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સામે અવાજ ઉઠાવશે? તેમજ હાલ વેકસીનના કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે જો સ્વદેશી વેકસીન આપવામાં આવી રહી હોય તો શું કેન્દ્ર સરકાર દ્વારા ડોઝ આપવામાં આવી રહ્યા છે કે રાજ્ય સરકાર સીધા સિરમ ઇન્સ્ટિટ્યૂટ કે અન્ય કંપનીઓ પાસેથી સીધી ખરીદી કરી રહેલ છે અને હાલ વેકસીનના કેટલા ડોઝ આપવામાં આવી રહ્યા છે અને કેટલા ડોઝ પડ્યા છે તેની સઘળી વિગતો આપવા વિનંતી કરેલ છે


ધારાસભ્યએ વેકસીનેશનમાં થતા વેપારમાં પણ પોતાની ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધીમાં કેટલા કરોડ રૂપિયા વેકસીન પર રાજ્ય સરકાર પાસેથી વસુલ કર્યા


વિદેશ થી આવતી આયાત કરવામાં આવેલ વેકસીનને કેન્દ્ર સરકાર દ્વારા gst મુક્ત કરેલ છે જ્યારે દેશમાં ઉત્પાદિત વેકસીન પર આજે પણ કેન્દ્ર સરકાર gst વસુલ કરી રહેલ છે જયારે રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે વિદેશી રોકાણ પર વિરોધ દર્શાવી પોલિટિકલ ફાયદો મેળવતા અને આજે વિદેશી રસી પર કોઈ ટેક્સ નહિ લઈ રહ્યા આતો કેવી નીતિ
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે અંતમાં રોષ વ્યકત કરતા જણાવ્યું કે વેકસીન વસુલ કરવામાં આવતો ટેક્સ બાબતે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર સામે અવાજ ઉઠાવવો જોઈએ

Related Posts