ગુજરાત

રાજ્ય સરકારે ૨૦ હજાર મિનિમમ કમિશનની માગનો સ્વીકાર કરતાસસ્તા અનાજના દુકાનના સંચાલકોએ હડતાળ સમેટી

હવે તહેવાર સમયે જ ગરીબ વર્ગને અનાજથી વંચિત નહીં રહેવુ પડે. સસ્તા અનાજના સંચાલકોએ તેમની રાજ્ય વ્યાપી હડતાળ સમેટી લીધી છે. રાજ્ય સરકારે ૨૦ હજાર મિનિમમ કમિશનની માગનો સ્વીકાર કરતા હડતાળ સમેટાઈ છે. ગ્રામ્ય કે અંતરિયાળ વિસ્તારોમાં કમિશનની ૨૦ હજારથી ઓછી માસિક આવક ધરાવતા દુકાનદારને રાજ્ય સરકાર હવે સહાય કરશે. એટલે કે જે દુકાનદારની કમિશનની માસિક આવક ૨૦ હજારથી જેટલી ઓછી હશે. તેટલી રકમની સરકાર સહાય આપશે. રાજ્ય સરકારે સસ્તા અનાજની દુકાનના સંચાલકોને સહાય પેટે ૩૫.૫૩ કરોડની રકમ પણ અલાયદી ફાળવી છે.

આગામી તહેવારોને લઈ રવિવારે પણ દુકાનદારો અનાજનું વિતરણ ચાલુ રાખશે. આપને જણાવી દઈએ કે રાશનની દુકાનધારકોએ તેમની પડતર માગણીઓને લઈને હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ હતુ. વિવિધ પડતર માગને લઇ રાજ્યના સસ્તા અનાજની દુકાનદારો લડી લેવાના મૂડમાં જણાયા હતા. રાજ્યના ૧૭ હજાર સસ્તા અનાજના દુકાનદારોએ હડતાળ પાડી અનાજ વિતરણ બંધ રાખ્યું હતુ. કમિશન અને અનાજ ઘટની માગ પુરી કરવાની માગ સાથે દુકાનદારો હડતાળ પર ઉતર્યા હતા.

Related Posts