ભાવનગર

રાળગોન ગામની નિધિ પંડ્યાએ શિષ્યવૃત્તિ પરીક્ષામાં રાજ્યમાં પ્રથમ નંબર મેળવ્યો

તળાજા તાલુકાના રાળગોનગામની શ્રી જ્ઞાનમંજરી સ્કૂલના વિદ્યાર્થીઓએ ગુજરાત સરકાર દ્વારા ધોરણ ૯ અને ધોરણ ૬ માટે લેવાતી શિષ્યવૃત્તિની પરીક્ષામાં ગૌરવશાળી પરિણામ પ્રાપ્ત કર્યું છે જેમાં પંડ્યા નિધીબેન કિશોરભાઈ (ઠાડચ)એ 181 ગુણ સાથે સમગ્ર ગુજરાતના પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે . સાથે ગુજરીયા કિશન કનુભાઈ (ઠાડચ)એ 174  ગુણ પ્રાપ્ત કરી ભાવનગર જિલ્લામાં બીજો ક્રમ, જોશી હસ્તીબેન વિનોદભાઈ 166 ગુણ પ્રાપ્ત કરી શિષ્યવૃત્તિ માટે પસંદગી પામેલ છે . તેવી જ રીતે ધોરણ ૬ માં ધાંધલ્યા સૃષ્ટિબેન જીતેન્દ્રભાઈ (ઇસોરા)એ 185 પ્રાપ્ત કરી ભાવનગર જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શિષ્યવૃતિ માટે પસંદગી પામેલ છે. તમામ વિદ્યાર્થીઓને શાળા અને ગામનું ગૌરવ વધારવા બદલ શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામના પાઠવેલ છે

Related Posts