અમરેલીમાં જળક્રાંતિ ના પ્રણેતા તથા લાઠીના દુધાળા ગામે વેરાન વગડા ને પંચગંગા તીર્થ સ્થળ બનાવી દેનાર રાષ્ટ્રીય શ્રેષ્ઠ નાગરિક પદ્મશ્રી એવોર્ડ મેળવનાર સવજીભાઈ ધોળકિયા જે લાઠી તાલુકા ના દુધાળા ના હાલ સુરત સ્થિત, ઉદ્યોગ રત્ન, સમાજ સેવી, લાઠી તાલુકા સહિત ના વિસ્તારો માં જળ સંસાધન ક્ષેત્રે, પર્યાવરણ પ્રકૃતિ માટે કરેલ બેનમૂન સેવા થી ભારત સરકાર દ્વારા સવજીભાઈ ની સેવા ની નોંધ લેવાય અને રાષ્ટ્રીય ગૌરવ પદ્મશ્રી એવોર્ડ આપી સન્માન અપાતા લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા આજે ભવ્યાતિભવ્ય સન્માન અને અભિવાદન કરવામાં આવ્યું આ તકે લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨જેના ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી વસંતભાઈ મોવલીયા, સંસ્થાના પ્રમુખ દિનેશભાઇ કાબરીયા, મંત્રી વિજય વસાણી, ખજાનચી અરુણભાઈ ડેર, દિવ્યેશભાઈ વેકરિયા, સંજયભાઈ રામાણી તથા સંસ્થા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રીય ગૌરવ પદ્મશ્રી એવોર્ડ સન્માનિય સવજીભાઈ ધોળકિયા નું લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા ભવ્યાતિભવ્ય સન્માન અને અભિવાદન કરવામાં આવ્યું 

Recent Comments