રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હી અને શિશુવિહાર સંસ્થા, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે તા. ૧૩ ઓગસ્ટ, શનિવારના રોજ સાંજે ૫-૩૦ કલાકે પશ્ચિમ ભારતીય કવિ સંમેલન અને વક્તવ્યોનું આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાતી, મરાઠી, કોંકણી અને સિંધી ભાષાના કવિઓ તેમાં કાવ્ય પઠન કરશ. જે- તે ભાષાના વિદ્વાનો પોતાની ભાષાની સમકાલીન કવિતા વિશે વાત કરશે.
શિશુવિહાર સંસ્થામાં યોજાયેલા આ કાર્યક્રમમાં કોંકણી ભાષામાંથી ભૂષણ ભાવે, હનુમંત ચોપડેકર અને નેરી નજરેત, મરાઠી ભાષામાંથી રંગનાથ પઠારે, પ્રકાશ હોલકર અને સુમતિ લાંડે, સિંધી ભાષામાંથી નામદેવ તારાચંદાણી, નરેશ ઉધાણી અને લાલ ચાવલા તેમજ ગુજરાતી ભાષામાંથી વિનોદ જોશી, વિવેક ટેલર અને રીન્કુ રાઠોડ ભાગ લેશે.સાહિત્યમાં રસ ધરાવતા સૌ ભાવેણાવાસીઓને શિશુવિહાર સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નાનકભાઈ ભટ્ટ દ્વારા આ કાર્યક્રમમાં પધારવા નિમંત્રણ પાઠવાયું છે.
Recent Comments