રાષ્ટ્રીય

રાહુલ ગાંધીની અપીલ પર ગુજરાત હાઈકોર્ટ ૨ મેના રોજ સંભળાવી શકે છે ચુકાદો

વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ શનિવારે ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની ‘મોદી અટક’ પરની ટિપ્પણીને સાથે જાેડાયેલા માનહાનિના કેસમાં ટ્રાયલ પ્રક્રિયા સંબંધિત તથ્યોને આધારિત” “ગંભીર રીતે કોંગ્રેસ નેતાની દોષિત ઠરાવવામાં આવ્યો હતો.જેમાં હાઈકોર્ટમાં ગાંધી વતી દલીલ કરતી વખતે સિંઘવીએ આ ટિપ્પણી કરી હતી. ફોજદારી માનહાનિના કેસમાં તેમની સજા પર સ્ટે ન આપવાના સુરત સેશન્સ કોર્ટના આદેશને પડકારતી રાહુલ ગાંધીની અરજી પર હાઈકોર્ટ સુનાવણી કરી રહી છે. હવે આ મામલે મંગળવારે સુનાવણી થશે. જસ્ટિસ હેમંત પ્રાચાકે સેશન્સ કોર્ટના ૨૦ એપ્રિલના આદેશને પડકારતી ગાંધીની ફોજદારી રિવિઝન અરજી પર સુનાવણી કરી હતી. અગાઉ, જસ્ટિસ ગીતા ગોપીની કોર્ટમાં તાત્કાલિક સુનાવણી માટે આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જસ્ટિસ ગોપીએ બાદમાં સુનાવણીમાંથી પોતાને અલગ કરી લીધા હતા, અને પછી જસ્ટિસ પ્રાચકને આ મામલો સોંપવામાં આવ્યો હતો. જાે હાઈકોર્ટ આ અરજી સ્વીકારે તો રાહુલ ગાંધીને ફરીથી સંસદ સભ્ય બનાવવાનો માર્ગ મોકળો થઈ શકે છે. સિંઘવીએ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે, ટ્રાયલ પ્રક્રિયા સંબંધિત “ગંભીર ખામીયુક્ત તથ્યો”ને કારણે દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું, “જાહેર સેવક અથવા સાંસદના કિસ્સામાં, તે વ્યક્તિ અને મતવિસ્તાર માટે પણ તેના ખૂબ જ ગંભીર પરિણામો છે, જે પછીથી બદલી શકાય નહીં. પુનઃચૂંટણી માટે પણ તેના ભયંકર પરિણામો છે.” ન્યાયાધીશ હેમંત પ્રાચાકની કોર્ટમાં તેમની અરજીમાં સિંઘવીએ કહ્યું હતું કે, “જામીનપાત્ર, બિન-કોગ્નિઝેબલ ગુનામાં મહત્તમ બે વર્ષની સજાનો અર્થ એ છે કે, તે તેની લોકસભાની બેઠક “કાયમી” ગુમાવી શકે છે, જે વ્યક્તિનું ઉલ્લંઘન છે, અને તે જે મતદારક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે, તેના માટે ખૂબ જ ગંભીર બાબત. સુરતની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ૨૩ માર્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષને ભારતીય દંડ સંહિતાની કલમ ૪૯૯ અને ૫૦૦ (ફોજદારી બદનક્ષી) હેઠળ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ)ના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા ૨૦૧૯ના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. તેને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. ચુકાદા બાદ, ગાંધીને લોક પ્રતિનિધિત્વ અધિનિયમની જાેગવાઈઓ હેઠળ સંસદના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી ૨૦૧૯માં લોકસભામાં ચૂંટાયા હતા.

૨૦ એપ્રિલના રોજ, સુરતની સેશન્સ કોર્ટે કોંગ્રેસ નેતાની સજા પર સ્ટે મૂકવાની તેમની અરજી ફગાવી દીધી હતી. ગાંધી હાલ આ કેસમાં જામીન પર બહાર છે. સિંઘવીએ ફરિયાદી અને ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીને સેશન્સ કોર્ટમાં સજાના સ્ટે માટે ગાંધીની અરજીને પડકારતી ન હતી, પરંતુ કોંગ્રેસના નેતાને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવા તરફ દોરી જતા દોષિત ઠેરવવાના સ્ટેને પડકાર્યો હતો. સિંઘવીએ કહ્યું કે, ૧૩ એપ્રિલ, ૨૦૧૯ ના રોજ કર્ણાટકના કોલારમાં ચૂંટણી રેલી દરમિયાન ગાંધી દ્વારા આપવામાં આવેલા કથિત ભાષણમાં ફરિયાદી મોદીનું નામ નથી. ગાંધીના વકીલે કહ્યું કે ભારતીય દંડ સંહિતાની કલમ ૪૯૯ હેઠળ, ફરિયાદ કરનાર પીડિત વ્યક્તિ હોવો જાેઈએ અને આ કેસમાં એવું નથી. સિંઘવીએ કહ્યું કે, નવજાેત સિંહ સિદ્ધુ કેસમાં તેમને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા, પરંતુ તેમની સજા સ્થગિત કરવામાં આવી હતી. તેણે કહ્યું, “મારા કિસ્સામાં, તેમાં ન તો કોઈ ગંભીર બાબત છે કે, ન તો નૈતિક ક્ષતિ સામેલ છે. આમ છતાં સજા પર રોક લગાવવામાં આવી નથી.

Follow Me:

Related Posts