ગુજરાત

રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી નીકળી

ગાંધીનગર ના રૂપાલ ગામમાં પરંપરાગત પલ્લી નીકળી હતી. દશેરા ની મોડી રાત્રે મા વરદાયિનીની પલ્લી નીકળી હતી. આ વખતે કોરોના મહામારીને કારણે માત્ર ગામના લોકોની હાજરીમાં જ પલ્લી નીકળી હતી. માતાની પલ્લી મંદિરથી નીકળીને ગામના ૨૭ ચોકમાંથી પસાર થાય છે. આ દરેક ચોકમાં પલ્લી પર ઘી રેડાતું રહે છે. આ માટે ગામમાં આવેલ માતાના સ્થાનને રોશનીથી સજાવાય છે. અને માતાજીની પલ્લી પર લાખો લીટર ઘી ચડાવાય છે. પલ્લીની પ્રથા એવી છે કે, જે લોકોની બાધા પૂરી થઈ હોય તેઓ પલ્લીમાં ઘી ચઢાવે છે. આ ઉપરાંત બાળકો જન્મ્યા હોય, તેમને પણ પલ્લી ના દર્શન કરાવવા માટે અહીં લાવવામાં આવે છે. બાળકોનો જન્મ થયો હતો તેવી મહિલાઓ પલ્લીની સ્તુતિવંદના કરે છે

Related Posts