ગુજરાતમાં છેલ્લા ર૭ વર્ષથી ભાજપનું શાસન છે, અને ભાજપના શાસનમાં રાજયની જનતાની હાલત કફોડી બની ગઈ છે, આ ભાજપ સરકાર માત્રને માત્ર ઉદ્યોગપતિઓની સરકાર છે, ગુજરાતની ભોળી જનતાને લુટવા સિવાય બીજું કોઈ જ કામ આ ભાજપ સરકારે કર્યુે નથી.
ગુજરાતનાં શ્રમિકોને માત્ર રૂા. ૧૦ માં ભોજન આપવાનાં હેતુથી ચાલુ કરવામાં આવેલી શ્રમિક અન્નપૂર્ણા યોજના કોરોનાનાં કારણે બંધ હતી તે ફરી ચાલુ કરવાની રાજયમાં નવી સરકાર આવ્યા બાદ શ્રમમંત્રીએ જાહેરાત કરી હતી પરંતુ ત્રીજી લહેર ખતમ થઈ ગઈ છતાં આ યોજના ફરી ચાલુ ન થતાં હજારો શ્રમિકો રાહ જોઈ રહયા છે.
શ્રમ અને રોજગાર વિભાગ હેઠળનાં બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્રારા આ યોજના જુલાઈ ર૦૧૭ માં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ ચાલુ કરી હતી, રાજકોટ, અમદાવાદ સહિત ૧ર જેટલાં શહેરોનાં કેટલાંક નકકી કરાયેલા સ્થળો પર ખાસ કરીને બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા શ્રમિકો માટે અન્નપૂર્ણા યોજના શરૂ કરવામાં આવી હતી. તેનો હજારો શ્રમિકો લાભ લેતા હતા.
કોરોના મહામારી બાદ આ યોજના બંધ કરવામાં આવી હતી તે બે વર્ષ કરતા વધુ સમય થવા છતાં ચાલુ થઈ શકી નથી. અનેક સ્થળો પર ભોજન આપવા માટેની કેબીન પણ ભંગારમાં ફેરવાઈ ગઈ છે. રાજયમાં નવી સરકાર આવ્યા બાદ નવેમ્બર શ્રમ અને રોજગારએ અન્નપૂર્ણા યોજનાનાં કેન્દ્રો ફરી ચાલુ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી રાજયના એકપણ શહેરમાં આ યોજના શરૂ થઈ નથી. આગામી સમયમાં જો યોજના શરૂ કરવામાં નહી આવે તો શ્રમિકો સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આદોલન કરવાની ચીમકી અમરેલીના ધારાસભ્યશ્રી પરેશ ધાનાણીએ કરી છે.
રૂા. ૧૦માં શ્રમિકોને ભોજન આપતી અન્નપૂર્ણા યોજના ફરી ચાલુ કરવાની માંગ કરતા : પરેશ ધાનાણી


















Recent Comments