ગુજરાત

રૂ. ૧૩૫૦ કરોડની જમીન પચાવી પાડનાર વિરૂદ્ધ કાર્યવાહી કરી,અમદાવાદ જિલ્લાની લેન્ડ ગ્રેબિંગની ૪૦૦ પૈકી ૧૦૦ અરજીનો નિકાલ કરાયો

રાજ્યમાં ભૂમાફિયા વિરુદ્ધ રાજ્ય સરકારે નવો કાયદો લેન્ડ ગ્રેબિંગ એક્ટ અમલમાં મુક્યો છે. જેને લઈને હવે ભૂમાફિયા પર સરકાર આકરા પગલાં ભરી રહી છે. ત્યારે ગુજરાતમાં સૌપ્રથમવાર લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે એને અમદાવાદ જિલ્લાની ૪૦૦ પૈકી ૧૦૦ અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે. લોકોની ગેરકાયદે જમીન પચાવીને પોતાના નામે કરી લેનારા ભૂમાફિયા વિરૂદ્ધ આ કાયદા અંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં ૨૧ દિવસની અંદર આરોપી વિરુદ્ધ યોગ્ય પગલાં લેવાની જાેગવાઈ કરવામાં આવી છે. સાથે તે માથાભારે વ્યક્તિ હોય તો તપાસ સમિતિને પોલીસ મદદ પણ મળી શકે છે.

અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએજણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા જ્યારથી આ કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે. ત્યારથી અમે આવા આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી રહ્યા છે. અમારી પાસ આવેલી અરજીમાંથી અત્યાર સુધી અમે ૧૦૦ જેટલાં કેસનો નિકાલ કર્યો છે. જેમાં ૫૩ જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેમના વિરુદ્ધ હ્લૈંઇ નોંધવામાં આવી છે.

કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, આ કેસોમાં લગભગ અત્યાર સુધી અમે ત્રણ બેઠક કરી છે. જેમાં ૩૪ હેક્ટર જેટલી અલગ-અલગ જમીન પચાવી પાડનાર લોકો સામે કાર્યવાહી કરી છે. આ જમીનની અંદાજીત કિંમત રૂ. ૧૩૫૦ કરોડ થાય છે. જેને અમે ગેરકાયદે જમીન પર કબ્જાે કરનાર વ્યક્તિ પાસેથી મુક્ત કરવી છે. અમે લોકોની ફરિયાદ સાથે અમે જાતે પણ પ્રાંત અધિકારીઓને સૂચના આપી છે કે કોઈ ગેરકાયદે જમીન પચાવી પાડનાર વ્યક્તિ ધ્યાનમાં આવે તો તેની સામે પણ અમે જાતે કાર્યવાહી કરીશું.

Related Posts