અમરેલી

રેપ કેસમાં આરોપીને જીવનપર્યન્‍ત જેલની સજા

સાવરકુંડલામાં નાની બાળા ઉપર બનેલ રેપ કેસમાંઆરોપીને જીવનપર્યન્‍ત જેલની સજા ફરમાવતી કોર્ટભોગ બનનાર બાળકીનાં હિતમાં સરકાર દ્વારા અપાતી ફી જતી કરતાં એડવોકેટવકિલ આલમમાં દાખલો બેસાડી કાયદાના ક્ષેત્રમાં નવો ચિલો ચિતર્યોએસપી નિર્લિપ્‍ત રાયનાં માર્ગદર્શન નીચે પોલીસ દ્વારા ગુન્‍હાનો ભેદ ઉકેલી તપાસ હાથ ધરી હતીદેશમાં રોજબરોજ રેપના કિસ્‍સાઓ બનતા હોય છે, તેમાં ખાસ કરીને નાની બાળા ઉપર રેપના કિસ્‍સાઓ દિવસે દિવસે વધતા રહે છે. ત્‍યારે અમરેલીના સાવરકુંડલામાં તા. ર1-પ-ર0ર0 ના રોજ એક ત્રણ વર્ષની માસુમ બાળાનું અપહરણ કરી રાત્રીના સમયે અવાવરૂ જગ્‍યામાં રેપનો બનાવ બનેલ હતો

.આ બનાવની વિગત એવા પ્રકારની છે કે, એક ત્રણ વર્ષની દિકરી તેના માતા-પિતા સાથે ઝુંપડપટ્ટીમાં સુતી હતી ત્‍યારે રાત્રીના સમયે  આ ત્રણ વર્ષની દિકરીને કોઇ નરાધમ વ્‍યકિત પોતાની હવસ સંતોષવા ખરાબ કૃત્‍ય કરવાના ઈરાદે ઉપાડી ગયેલ અને ત્‍યારબાદ આ કામના ફરીયાદી  દિકરીના માતા તથા દિકરીના પિતાએ તપાસ કરતા આ દિકરી તેમના રહેણાંક ઝુંપડપટ્ટીની આજુબાજુમાંથી કયાંય મળેલ નહીં.

ત્‍યારબાદ તેઓએ વિશેષ તપાસ કરતા આ દિકરી મોટા ઝીંઝુડા ગામેથી મળી આવેલ અને તે ભોગ બનનાર દિકરીના કપડા લોહી લુહાણ હતા અનેકોઇ અજાણ્‍યા ઇસમે માસુમ બાળા ઉપર નરાધમ કૃત્‍ય કરેલ હોવાનું જણાતા અમરેલીના બાહોશ એસ.પી. નિર્લિપ્‍ત રાયના સીધા માર્ગદર્શન નીચે સઘન તપાસ શરૂ કરેલી અને બનાવના સ્‍થળની આજુબાજુમાંથી તથા બનાવમાં ખુલેલ વાહન સંદર્ભે જીણવટ ભરી તપાસ કરતા એસ.પી.ના માર્ગદર્શન નીચે સાવરકુંડલા ટાઉન  પી.આઇ. વસાવા તથા તેમની ટીમે આરોપી રાજુ ઉર્ફે રાજુ કડી નારણભાઇ            માંગરોળીયાની ધરપકડ કરેલી અને પોલીસે આ કામના આરોપીઓ સામે ભારતીય ફોજદારી ધારાની કલમ 363, 366, 376(એ)(બી), 377 તથા પોકસો એકટની કલમ 4, 6, 8, 10 વિગેરે  મુજબનો ગુન્‍હો દાખલ કરેલ અને ત્‍યારબાદ તપાસના અંતે  આ કામે ચાર્જશીટ કરેલ.આ કેસમાં ત્રણ વર્ષની નાની બાળકી ભોગ બનેલ હોય અને સરકારે બનાવની ગંભીરતાને ઘ્‍યાને લઇ આ કામે સ્‍પેશ્‍યલ પી.પી. તરીકે ગુજરાત સરકારના લીગલ ડીપાર્ટમેર્ન્‍ટ દ્વારા ગુજરાત સરકાર તરફથી અમરેલીના સીનીયર અને બાહોશ એડવોકેટ ઉદયન ત્રિવેદીની ખાસ સરકારી વકીલ તરીકે નિમણુંક કરવામાં આવેલી. આ બનાવની કરૂણા અને ગંભીરતા જોતા સીનીયર એડવોકેટ ઉદયન ત્રિવેદીની ધારદાર દલીલો અને હાઇકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ રજુ કરી આ નરાધમ રાજુ કડીને ફાંસીની સજા મળે અને આવું કૃત્‍ય કરતા પહેલા કોઇપણ આરોપી થરથરકાપે તેવી રીતે સીનીયર એડવોકેટ ઉદયન ત્રિવેદીએ દલીલો રજુ કરતા કેસ ચાલ્‍યાના માત્ર પાંચ મહિના જેવા ટુંકા ગાળામાં અમરેલીના સ્‍પેશ્‍યલ પોકસો કોર્ટના જજ આર.આર. દવેએ આરોપી રાજુ કડીને ભારતીય ફોજદારી ધારાની કલમ 363, 366, 376(એ)(બી), 377 તથા પોકસો એકટની કલમ 4, 6, 8, 10 વિગેરે મુજબ બંને પક્ષોને સાંભળીને ખુબ જ ટુંકાગાળામાં આરોપીને બાળકોના જાતિય ગુન્‍હા સામે રક્ષણ અધિનિયમ ર01ર ની કલમ -6 માં તથા આઇ.પી.સી.ની કલમ – 376(એબી)માં આ કામના આરોપીને તેના કુદરતી મૃત્‍યુ સુધી જેલનો હુકમ કરવામાં આવેલ છે તેમજ આ કામના આરોપીને આઇ.પી.સી.ની કલમ 363 માં પ વર્ષની સખ્‍ત કેદની સજાનો હુકમ તેમજ રૂા. ર,000/- નો દંડ કરવામાં આવેલ છે

તેમજ આઇ.પી.સી.ની કલમ 366 માં 7 વર્ષની સખ્‍ત કેદની સજાનો હુકમ તેમજ રૂા. ર,000/- નો દંડ કરવામાં આવેલ છે તેમજ આઇ.પી.સી.ની કલમ 377 માં 10 વર્ષની સખ્‍ત કેદની સજાનો હુકમ તેમજ  રૂા. 3,000/- નો દંડ કરવામાં આવેલ છે.આ ઉપરાંત આ કામના પોકસો એકટ ર01ર ની કલમ 33(8) તથા પોકસો રૂલ્‍સ ર0ર0 ના રૂલ 9(ર) હેઠળ ભોગ બનનાર બાળકીને રૂા. 1પ,00,000/- નું વળતર ચુકવવાનો સરાહનીય હુકમ અમરેલીના સ્‍પેશ્‍યલ પોકસો કોર્ટના જજ આર.આર. દવેએ કરેલ છે.આ સમગ્રકેસની તપાસ કરનાર પી.આઇ. વસાવા તથા તેના રાઈટર જયદિપસિંહ ગોહિલ તથા એલસીબી પી.આઇ. કરમટા તથા એસઓજી પી.આઇ. મોરી સહિતના સ્‍ટાફે એસપી નિર્લિપ્‍ત રાયના સીધા માર્ગદર્શન હેઠળ અસરકારક તપાસ કરી ખુબ જ ટુંકા ગાળામાં ચાર્જશીટ રજુ કરેલ.તેમજ સખી વનસ્‍ટોપ સેન્‍ટરના લાજવંતીબેન બધેકા તથા મનીષાબેન ત્રિવેદીએ આ કેસમાં મહિલા અને બાળ અધિકારી ગોહિલના માર્ગદર્શન હેઠળ વન સ્‍ટોપ સ્‍ટેશન રાજકોટના સહકારથી બાળકીનું રાજકોટમાં ઓપરેશન કરાવી તેને નવજીવન આપીને પોતાની ફરજ સનિષ્ઠપણે નિભાવેલ હતી

.આવા નરાધમ આરોપીઓને અમરેલીના સ્‍પેશ્‍યલ પોકસો કોર્ટના જજ આર.આર. દવેએ તેના કુદરતી મૃત્‍યુ સુધી જેલમાં રહેવાનો સમગ્ર ભારતમાં દાખલો બેસે તેવો હુકમ કરી દેશની તમામ મહિલાઓ તથા સગીર વયના બાળકીઓ ઉપર ભવિષ્‍યમાં આવું કૃત્‍ય ન  થાય તે માટે દાખલો બેસે તેવો સજાનો કાબીલેદાદ હુકમ કરતા સમાજમાં રાહતની લાગણી ફેલાઇ છે. આવા નરાધમ આરોપીઓમાં કોર્ટની લાલ આંખથી ફફડાટ આપેલ છે.આ કેસમાં સીનીયર એડવોકેટ ઉદયન ત્રિવેદીએ બનાવની ગંભીરતા અને કરૂણતા જોઇ તેમજ જે તે સમયે અમરેલીના એસ.પી.એ તેમના સીધા માર્ગદર્શન નીચે તેમની ટીમને આપેલ સુચના મુજબ ટુંકાગાળામાં ગુન્‍હો ડીટેકટ કરીને આરોપીનેસફળતાપુર્વક પકડી લીધેલ હોય જે તેમની તથા સરકાર તરફથી આવી બાબતોમાં સંવેદનશીલ રીતે જે કામગીરી આવા કિસ્‍સાઓ સમાજમાં થતા અટકે તે માટે અસરકારક રીતે આવી કામગીરી હાથ ધરવામાં આવેલ છેઆ કામે સ્‍પેશ્‍યલ પબ્‍લીક પ્રોસીકયુટર તરીકે ઉદયન ત્રિવેદીએ જે ફીની રકમ સરકાર ચુકવે છે તે ફીની તમામ માતબર રકમ ભોગ બનનાર બાળકીના હિતમાં જતી કરેલ છે. આ નિર્ણયથી સમગ્ર વકીલ આલમમાં દાખલો બેસાડી સમાજમાં એક નવો ચીલ્‍લો ચાતર્યો છે.જયારે દિવસે દિવસે નાની બાળાઓ ઉપર બળાત્‍કારના કિસ્‍સા ગુજરાત રાજયમાં તથા ભારત દેશમાં વધી રહયા છે. ત્‍યારે સીનીયર એડવોકેટ ઉદયન ત્રિવેદીની ધારદાર દલીલો સાંભળી અમરેલીના સ્‍પેશ્‍યલ પોકસો કોર્ટના જજ આર.આર. દવેએ સમાજમાં દાખલો બેસે તેવો સજાનો હુકમ કરેલ છે.

Related Posts