ત્રિવેણી કલ્યાણ સંસ્થા, કળસાર ખાતે વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં યોજાયેલ કાર્યક્રમમાં બચત અને ગૃહઉદ્યોગ સાથે સંકળાયેલ મહિલા મંડળોનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ કહ્યું કે, રોજગારી સાથે આર્થિક રીતે સ્વતંત્ર થતી મહિલા એ જ વાસ્તવમાં ખરી સ્વતંત્રતા છે. આર્થિક સ્વતંત્રતા તેને સ્વમાન સાથે આત્મનિર્ભર પણ બનાવે છે. સ્ત્રી માત્ર પરિવાર કેન્દ્રીત ન રહેતાં સમાજ તથા દેશના વિકાસ માટે તેમનું યોગદાન આપે તે પણ એટલું જ જરૂરી છે.
ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન અને ગ્રામનિર્માણ સમાજ પ્રેરિત મહિલા મંડળ આયોજિત વિશ્વ મહિલા દિવસ અનુસંધાને ‘ પૂર્વગ્રહ તોડો માનસિકતા બદલો અને આગળ વધો’ તેવાં વિષયવસ્તુ સાથે યોજાયેલાં આ મહિલા સન્માનના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા, પૂર્વ ધારાસભ્યશ્રી કનુભાઇ કલસરીયા અને મહાનુભાવોના હસ્તે બચત અને ગૃહઉદ્યોગ સાથે સંકળાયેલ મહિલાઓ તથા મંડળોનું સન્માન જાહેર સન્માન કરાયું હતું.
આ પ્રસંગે મુખ્ય ઉપસ્થિતિમાં રહેલ ભાવનગર જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડેએ પીડીલાઈટ ઉદ્યોગના ગ્રામ વિકાસ અભિગમ સાથે આ વિસ્તારમાં થતી પ્રવૃત્તિને બિરદાવી કહ્યું કે, રોજગારી સાથે આર્થિક રીતે સ્વતંત્ર થતી મહિલા એ જ ખરી સ્વતંત્ર મહિલા છે, જે અહીંયા થઈ રહ્યાની મને ખુશી છે.
ત્રિવેણી કલ્યાણ સંસ્થા, કળસાર ખાતે યોજાયેલાં આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશાંત જીલોવાએ પીડીલાઈટ સંસ્થાના સહયોગને બિરદાવી કહ્યું કે, મહિલાઓ પાસે આવતા પૈસામાંથી મહિલાઓ પોતાની કૂનેહથી બચત કરતી હોય છે.આ બચત મુશ્કેલીના સમયમાં પરિવારને આધાર આપે છે તે આપણી મહિલાઓની પરિવાર કલ્યાણની ભાવનાને દર્શાવે છે.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્યશ્રી કનુભાઈ કળસરિયા, શિક્ષણ ક્ષેત્રના અગ્રણીશ્રી પંકજભાઈ રૂપારેલ સાથે શ્રી રીટાબેન વોરાએ મહિલાઓ અને વિકાસ પ્રવૃત્તિ બાબતે પ્રાસંગિક વાતો કરી હતી. પીડીલાઈટ ઉદ્યોગ દ્વારા ગ્રામ વિકાસ કરવામાં આવેલ કામગીરી બાબતે શ્રી પંકજભાઈ શુકલે રૂપેરેખા આપી હતી.
મહિલા દિવસ ઉજવણી સાથે મહિલા ગૃહ ઉદ્યોગ એકમ મંડળોના ઉત્પાદનોનું વેચાણ પ્રદર્શનને મહાનુભાવોએ નિહાળી મહીલાઓની કામગીરીની સરાહના કરી હતી. આ કાર્યક્રમમાં તબીબી શિબિર આયોજીત કરવામાં આવી હતી તેનો લાભ આસપાસના ગામના લોકોએ લીધો હતો.
સ્વાગત પ્રવચનશ્રી અજિતભાઈ જાદવ તથા આભાર વિધિશ્રી કાનાભાઈ ભમ્મરે કરી હતી. કાર્યક્રમનું સંચાલન શ્રી સુરભીબેન ગોસ્વામીએ કર્યું હતું.
આ કાર્યક્રમમાં શ્રી પ્રિયંકાબેન સરવૈયા, શ્રી હર્ષાબેન બારૈયા, શ્રી સંગીતાબેન પટેલ, શ્રી વસનબેન ભાલિયા, શ્રી કુંવરબેન બારૈયા, શ્રી હિનાબેન સરવૈયા, શ્રી સંગીતાબેન ગોસ્વામી, શ્રી મુસ્તુફા મેઘરાજ્ય, શ્રી ભવિકાબેન પટેલ તથા શ્રી સમજુબેન મકવાણાએ તેમની કામગીરીના અનુભવો રજૂ કર્યા હતાં. આ અવસરે લાભાર્થી મહિલાઓ તેમજ કળસર તથા આસપાસના ગામોના ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં
Recent Comments