ઉત્તરપરદેશના લખનૌ નજીક ગઈકાલે એક બસ દુર્ઘટના સર્જાઈ હતી. 130 કેટલા મુસાફરોને લઈ જતી બસને અન્ય વાહને ટક્કર મારતાં 18 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પૂજ્ય મોરારી બાપુની સંવેદના સ્વરૂપે શ્રી લખનૌ સ્થિત રામકથાના શ્રોત દ્વારા આ હતભાગી મુસાફરના પરીવાજનોને 90 હજાર રૂપિયાની સહાયતા રાશિ પહોંચતી કરવામાં આવશે. લદાખ અને જમ્મૂ કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં વાદળ ફાટવાની તથાઅતિવૃષ્ટની ઘટનામાં પણ 18 જેટલા લોકોએ તેમનાં પ્રાણ ગુમાવ્યા છે જેમનાં પરિવારજનો ને પણ રામકથાના શ્રોતાઓ દ્વારા પૂજ્ય મોરારિબાપની સૂચના અનુસાર શ્રી હનુમાનજી ની સાંત્વના રૂપે 90હજારની સહાય મોકલવામાં આવશે. બન્ને ઘટનાની કુલ રકમ એક લાખ એંસી હજાર થાય છે. તમામ મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય મોરારિ બાપુએ પ્રાર્થના કરી છે. મૃતકનાં પરિવારજનોને દિલસોજી પાઠવી છે.
લદાખ, જમ્મૂ કાશ્મીર અને લખનૌની વિવિધ દુર્ઘટનાઓમા માર્યા ગયેલાઓને મોરારિબાપુ દ્વારા એક લાખ એંસી હજાર જેટલી તત્કાલ સહાય

Recent Comments