અમરેલી

લાઠી ખાતે ૨૩ માર્ચના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

આગામી ૨૩ માર્ચ ૨૦૨૨ના રોજ સવારના ૧૧ કલાકે મામલતદાર કચેરી લાઠી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદાર અંગત પ્રશ્ન રજૂ કરવા માંગતા હોય તો ૧૫ માર્ચ બપોરના ૩ વાગ્યા સુધીમાં રૂબરૂ અથવા તો પોસ્ટમાં મળી જાય તે રીતે મામલતદાર કચેરી લાઠી ખાતે સ્વીકારવામાં આવશે. સામૂહિક કે નીતિ વિષયક પ્રશ્નો સિવાયના પ્રશ્નો રજુ કરવાના રહેશે. અરજીના મથાળે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અવશ્ય લખવા મામલતદાર લાઠીની યાદીમાં જણાવેલ છે.

Related Posts