અમરેલી

લાઠી તાલુકાના મુળીયાપાટ ગામ થી વિકળીયા જવાના રસ્તામાં મોટો પુલ (બ્રિજ) બનાવવા રજુઆત કરતાં જિલ્લા પંચાયત સદસ્ય  જનકભાઈ તળાવીયા

લાઠી તાલુકાના મુળીયાપાટ ગામ થી વિકળીયા જવાના રસ્તામાં મોટો પુલ (બ્રિજ) બનાવવા રજુઆત કરતાં જિલ્લા પંચાયત સદસ્ય શ્રી જનકભાઈ તળાવીયા અમરેલી જિલ્લા ના લાઠી તાલુકાનું સાવ છેવાડાનું ગણાતું મુળીયાપાટ ગામ થી વિકળીયા થઈને સુપ્રસિદ્ધ યાત્રાધામ મુનીબાપુ આશ્રમ હડમતીયા જવાના રસ્તા પર મોટી નદીનું વહેણ પસાર થતું હોય આ પાણીના વહેણની લંબાઈ વધારે પડતી હોવાથી ચોમાસા દરમિયાન અવર જવર કરતા રાહદરિયો ને ભારે મુશ્કેલી વેઠવી પડે છે જ્યાં સીધું વહેણ નું બધું જ પાણી ઓંસરી ન જાય ત્યાં સુધી લોકોને કલાકો સુધી પાણી ઓંસરવાની રાહ જોવી પડે છે આ બેઠા ઘાટના પુલને મોટો પુલ (બ્રિજ) બનાવવામાં આવે તો ત્યાંથી અવર-જવર કરતા રાહદારીઓને પડતી મુશ્કેલી દૂર થઈ જાય તેમજ પસાર થતા પાણીના વહેણમાં કોઈપણ પ્રકારની આકસ્મિક બનાવો ન બને તેમજ કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તેથી જિલ્લા પંચાયત સદસ્યશ્રી અને પૂર્વ પ્રમુખશ્રી લાઠી તાલુકા પંચાયત જનકભાઈ પી તળાવિયા દ્વારા મુળીયાપાટ ગામે મોટો પુલ (બ્રિજ) મંજુર કરવા કાર્યપાલક ઇજનેર અમરેલી તેમજ સાંસદસભ્યશ્રી નારણભાઈ કાછડીયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઈ વેકરીયા ને લેખિત રજૂઆત કરવામાં આવી

Related Posts