અમરેલી

લાઠી તાલુકાના લુવરિયા ગામે આવી પહોંચ્યું નેત્રરક્ષા અભિયાન નેત્રરક્ષા અભિયાન ના પ્રણેતા દિનેશભાઇ જોગાણી ની ઉપસ્થિતિમાં નેત્ર ચકાસણી કરાય

લાઠી તાલુકા વિકાસ ટ્રસ્ટ સુરત પ્રેરીત નેત્રરક્ષા અભિયાન ૨૦૨૨ આજે લાઠી તાલુકા ના લુવરિયા ગામે આવી પહોંચ્યું નેત્ર સુરક્ષા રથ દ્વારા લુવારીયા ગામે ગામના ૨૦૨ વ્યક્તિ એ નેત્ર ચકાસણી કરાવી  લાભ લીધેલ નેત્રરક્ષા અભિયાન માં ઉદાર સખાવતી  દાતાશ્રી ધીરૂભાઈ શિરોયા અને ખોડાભાઈ  ની ઉપસ્થિતિ માં નેત્રરક્ષા અભિયાન ના સંયોજક  પ્રણેતા શ્રી દિનેશભાઈ જોગાણી પધાર્યા સર્વત્ર ખુશી વ્યાપી હતી વતન થી દુરસદુર રહી વતન ની હરહમેશ ચિતા કરતા અને નેત્રરક્ષા અભિયાન ના સંયોજક પ્રણેતા પધારતા સ્થાનિક અગ્રણી ઓ દ્વારા સત્કાર કરાયો હતો સુરત થી લાઠી તાલુકા વિકાસ ટ્રસ્ટ લોકદ્રષ્ટિ ચક્ષુબેંક અને ઉદારદિલ દાતા ઓના આર્થિક સહયોગ થી પ્રારંભાયેલ નેત્રરક્ષા અભિયાન ગત ૩૧ મેં થી પ્રારંભ થઇ ૨૧ જૂન સુધી અવિરત ચાલનાર છે નેત્રરક્ષા અભિયાન ના હવે ગણતરી ના દિવસો જ બાકી રહ્યા છે ઓર્ગન ડોનેટ ચક્ષુદાન ને વેગ આપનારું અભિયાન સમસ્ત માનવ સમાજ માટે ઉપીયોગી બની રહ્યું છે 

Related Posts