અમરેલી

લાઠી તાલુકા વિકાસ ટ્રસ્ટ નું નેત્રરક્ષા અભિયાન જરખિયા ખાતે પહોંચ્યું ૪૦૦ વ્યક્તિ એ લાભ મેળવ્યો

લાઠી તાલુકાના જરખિયા ગામમા શ્રી સરસ્વતી વિદ્યાલય ખાતે લાઠી તાલુકા વિકાસ ટ્રસ્ટ સુરત આયોજિત નેત્રરક્ષા અભિયાન અંતર્ગત સ્વ.દેવચંદભાઈ ગોબરભાઈ કાકડીયા ના સ્મરણાર્થે યોજાયું જરખીયા ગામે તા.૫ જુન રવિવાર ના રોજ  નેત્રનિદાન,ડાયાબિટીસ અને બ્લડપ્રેશર નું નિદાન કરવામાં આવેલ અને જરૂરિયાતમંદો ને વિનામૂલ્યે દવા,ટીપા તથા ચશ્માંનું વિતરણ કરવામાં આવેલ જેમાં ૪૦૦ જેટલા જરખિયા ના નાગરિકોએ લાભ લીધેલ હતો.કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી મનુભાઈ જી. કાકડીયા રહ્યા હતા ,કાર્યક્રમના મુખ્ય દાતા શ્રી ધનજીભાઈ આસોદરીયા અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા તથા કૌશિકભાઈ વેકરિયા કાર્યક્રમ માં હાજરી આપી  સુરત થી ખાસ પધારેલ મધુભાઈ સુતરિયા,શાંતિભાઈ જી.કાકડીયા. કાળુભાઈ કાકડીયા,રાજુભાઇ કાકડીયા,અનિલભાઈ રૂપારેલીયા ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવામાં  સ્કૂલ નો સ્ટાફ,સરપંચ શ્રી હરેશભાઇ કાકડીયા,ભરતભાઇ સુતરિયા,રાવતભાઈ ડેર,પ્રવીણભાઈ કાકડીયા.ઘુસાભાઇ હેરમા.ભીખુભાઈ હેરમા. વિરજીભાઇ જે.કાકડીયા તથા ગ્રામજનોએ ખૂબ જહેમત ઉઠાવી હતી સુરત સ્થિત લાઠી તાલુકા વિકાસ ટ્રસ્ટ આયોજિત નેત્રરક્ષા અભિયાન ના રાહબર અને માર્ગદર્શક વતન ના રતન વતન થી દુરસદુર હોવા છતાં માદરે વતન માટે કંઈક સારી પ્રવૃત્તિ માત્ર કાર્યકરતી ટિમ સંયોજક હિમતભાઈ કે નારોલા દિનેશભાઇ જોગાણી રાકેશભાઈ ધોળકિયા કાનજીભાઈ અંટાળિયા બાબુભાઈ લૂખી ભવાનભાઈ નવાપરા નટુભાઈ વસોયા ધનજીભાઈ રાખોલીયા સહિત સમગ્ર લાઠી તાલુકા વિકાસ ટ્રસ્ટ નું સુંદર આયોજન તાલુકા માં અનેકો ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માં ઘેર બેઠા ઉત્તમ પ્રકાર ની તપાસ સારવાર આશીર્વાદ રૂપ બની રહ્યું છે 

Related Posts