અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ, લાઠી મામલતદાર કચેરી ખાતે આગામી તા.૨૨ ફેબ્રુઆરી, ૨૩ ને બુધવારના રોજ સવારે ૧૧ વાગ્યે યોજાશે. તાલુકા કક્ષાના અધિકાર વાળા બાકી હોય તેવા સરકારી કામો માટે અરજદારે સામૂહિક કે નીતિ વિષયક પ્રશ્નો સિવાય અંગત પ્રશ્ન રજૂ કરવા માંગતા હોય તો તે અરજી તા.૧૮ ફેબ્રુઆરી, ૨૩ ના રોજ બપોરે ૩ વાગ્યા સુધીમાં રુબરુ કે ટપાલમાં પહોંચાડી દેવી. અરજીના મથાળે ”તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” અવશ્ય લખવું, તેમ લાઠી તાલુકા મામલતદારશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઠી ”તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” માટે તા.૧૮ સુધીમાં અરજી કરવી

Recent Comments