અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ, લાઠી મામલતદાર કચેરી ખાતે આગામી તા.૨૬ એપ્રિલ, ૨૩ને બુધવારના રોજ સવારે ૧૧ વાગ્યે યોજાશે. તાલુકા કક્ષાના અધિકાર વાળા બાકી હોય તેવા સરકારી કામો માટે અરજદારે સામૂહિક કે નીતિ વિષયક પ્રશ્નો સિવાય અંગત પ્રશ્ન રજૂ કરવા માંગતા હોય તો તે અરજી તા.૧૮ એપ્રિલ,૨૩ ના રોજ બપોરે ૩ વાગ્યા સુધીમાં રુબરુ કે ટપાલમાં પહોંચાડી દેવી. સમય મર્યાદા વિત્યે અરજી ધ્યાને લેવામાં આવશે નહિ. અરજીના મથાળે ”તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” અવશ્ય લખવું, તેમ લાઠી તાલુકા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે
લાઠી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૮ એપ્રિલ સુધીમાં અરજી કરવી



















Recent Comments