અમરેલી

લાઠી-ભુરખીયા-દામનગર રોડ પર ભારે વાહનોની અવર-જવરને લઈ પ્રતિબંધ

તા.૬ એપ્રિલ, ૨૩ને ગુરુવારના રોજ અમરેલી જિલ્લાના વિવિધ સ્થળો અને લાઠી તાલુકાના ભુરખીયા મુકામે ધાર્મિક તહેવાર શ્રી હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી થશે.  ભાતીગળ લોકસંસ્કૃત્તિને ઉજાગર કરતો લોકમેળો પણ ભુરખીયા ખાતે યોજાશે. લાઠી-ભુરખીયા-દામનગર રોડ પર ભારે વાહનોની અવર-જવરને લઈ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, અમરેલી દ્વારા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ કલમ-૩૩ (૧) (બી) અંતર્ગત પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. લાઠી-ભુરખીયા-દામનગર પરથી પસાર થતાં ભારે વાહનો માટે વૈકલ્પિક રુટ આ મુજબ રહેશે.

(૧) લાઠી-દામનગર રુટ પરથી જતાં-આવતાં ભારે વાહનોએ પ્રતાપગઢ-ભીંગરાડ-છભાડીયા-દામનગર રોડ પરથી પસાર થવાનું રહેશે. (૨) અમરેલીથી ચાવંડ રુટ પર જતાં-આવતાં ભારે વાહનોએ ચિત્તલ-બાબરા-ચાવંડ રોડ પરથી પસાર થવાનું રહેશે. તા.૦૬ એપ્રિલ,૨૦૨૩ સહિતના દિવસ સુધી આ જાહેરનામું અમલી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ કલમ-૧૩૧માં દર્શાવેલ શિક્ષાને પાત્ર ઠરશે.

Related Posts