લાઠી ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ અને મેઘજીભાઈ ડાંગરે અમરેલીનાં ડેપો મેનેજરને પત્ર પાઠવેલ છે.
પત્રમાં જણાવેલ છે કે, લાઠી આવતી રાત્રી સમયગાળાની બસો જે સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધીની ચાવંડ ગેટ પાસે સ્ટોપ રાખેલ છે તે મુજબ અમુક બસો આ નિયમ મુજબ બસોને ચાવંડ ગેટ પાસે લાવતા નથી અને ગામના પેસેન્જર હેરાન થાય છે. ડ્રાઈવર અને કંડકટરને કહેવા છતાં એ ના પાડે છે અથવા તો ગેરવર્તન કરતા જણાય છે. તો આ સમસ્યાનું વહેલા નિરાકરણ કરવા અંતમાં માંગ કરેલ છે.
Recent Comments