અમરેલી

લાઠી શહેરની કડવા પાટીદાર વાડી ખાતે સાંધાના દર્દી નારાયણો માટે સંપૂર્ણ ફ્રી નિદાન કેમ્પ યોજાયો

લાઠી શહેર ના કડવા પટેલ સમાજ આયોજિત ઘૂંટણ તથા સાંધા ના દુખાવા માટે ફ્રી કેમ્પ નું આયોજન કરેલ હતું. તા ૧૩/૩/૨૧ ને શનિવાર ના રોજ  સહજાનંદ હોસ્પિટલ ના નિષ્ણાંત ડો.  કૌશિક ડી. પટેલ (બોદર ) સાહેબ તેમજ તેમની ટીમ ના સહયોગ થી આ કેમ્પ ની અંદર અંદાજિત ૨૦૦  જેટલાં દર્દી નારાયણો એ લાભ લીધેલો. આ કેમ્પ ની મુલાકાતે લાઠી શહેર ના ભામાશા ભવાની જેમ્સ ના શેઠ શ્રી મનજીભાઈ ધોળકિયા ખાસ પધાર્યા હતા. આ કેમ્પ   આયોજન બદલ વિનુભાઈ વિસનગરા, અરજણભાઈ વામજા, મહેશભાઈ કોટડીયા, મુકેશભાઈ મેતલીયા, રતિભાઈ કોટડીયા, જીગ્નેશભાઈ કોટડીયા, ચેતનભાઈ લીંબાણી, સવજીભાઈ રાસડિયા, રોમીત કોટડીયા, નિકુંજ કોટડીયા, ધવલ કોટડીયા એ આ કેમ્પ ને સફળ બનાવવા ભારે જેહમત ઉઠાવેલ. તેમજ આમંત્રણ ને માન આપીને પધારેલ સર્વે મહાનુભવો નો આભાર.પ્રગટ કરતા સ્થાનિક અગ્રણી ઓએ આ સેવા યજ્ઞ ને ભવ્ય સફળતા બદલ સર્વ સ્વંયમ સેવકો આભાર માન્યો હતો

Related Posts