લાઠી શહેર ના કડવા પટેલ સમાજ આયોજિત ઘૂંટણ તથા સાંધા ના દુખાવા માટે ફ્રી કેમ્પ નું આયોજન કરેલ હતું. તા ૧૩/૩/૨૧ ને શનિવાર ના રોજ સહજાનંદ હોસ્પિટલ ના નિષ્ણાંત ડો. કૌશિક ડી. પટેલ (બોદર ) સાહેબ તેમજ તેમની ટીમ ના સહયોગ થી આ કેમ્પ ની અંદર અંદાજિત ૨૦૦ જેટલાં દર્દી નારાયણો એ લાભ લીધેલો. આ કેમ્પ ની મુલાકાતે લાઠી શહેર ના ભામાશા ભવાની જેમ્સ ના શેઠ શ્રી મનજીભાઈ ધોળકિયા ખાસ પધાર્યા હતા. આ કેમ્પ આયોજન બદલ વિનુભાઈ વિસનગરા, અરજણભાઈ વામજા, મહેશભાઈ કોટડીયા, મુકેશભાઈ મેતલીયા, રતિભાઈ કોટડીયા, જીગ્નેશભાઈ કોટડીયા, ચેતનભાઈ લીંબાણી, સવજીભાઈ રાસડિયા, રોમીત કોટડીયા, નિકુંજ કોટડીયા, ધવલ કોટડીયા એ આ કેમ્પ ને સફળ બનાવવા ભારે જેહમત ઉઠાવેલ. તેમજ આમંત્રણ ને માન આપીને પધારેલ સર્વે મહાનુભવો નો આભાર.પ્રગટ કરતા સ્થાનિક અગ્રણી ઓએ આ સેવા યજ્ઞ ને ભવ્ય સફળતા બદલ સર્વ સ્વંયમ સેવકો આભાર માન્યો હતો
લાઠી શહેરની કડવા પાટીદાર વાડી ખાતે સાંધાના દર્દી નારાયણો માટે સંપૂર્ણ ફ્રી નિદાન કેમ્પ યોજાયો

Recent Comments