લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે ગાયત્રી મંદિર અમરેલી ખાતે નેત્રમણી નેત્રયજ્ઞ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ. જેનો બહોળી સંખ્યામાં દર્દી નારાયણએ લાભ લીધેલ હતો. આ કેમ્પમાં વિનામૂલ્યે આંખના રોગનું નિદાન કરી જરૂરત વાળા મોતિયાના દર્દીને શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ ની બસમાં લઈ જઈ આધુનિક ફેકો પદ્ધતિ દ્વારા કાકા વગરનું સારામાં સારા ફોલ્ડેબલ લેન્સ સાથે વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવેલ. ઓપરેશન વાળા દર્દીઓને લાવવા લઈ જવા સાથે રહેવા-જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ. તેમજ હોસ્પિટલ તરફથી કાળા ગોગલ્સ આપવામાં આવશે. આ સમગ્ર કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ ના પ્રમુખ દિનેશભાઈ કાબરીયા તથા વિજયભાઈ વસાણી, રાકેશ નાકરાણી, પ્રિતેશ બાબરીયા તથા ગાયત્રી મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી બાબુભાઈ રાજ્યગુરુ તથા કેમ્પ વ્યવસ્થાપક સવજીભાઈ પટેલ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી…
લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા નેત્રમણી નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો

Recent Comments