લીલીયા તાલુકાના પુંજાપાદર ગામના મજૂરી કામ કરતા ભુપતભાઈ બાવચંદભાઈ વેકરીયા આજ રોજ મજૂરી કામ કરી ઘરે પરત આવી રહ્યા હતાં ત્યારે રસ્તામાં ઝેરી સાપ કરડતાં, તેમના સગા મગનભાઈ એ 108 ઇમરજન્સી ને મદદ માટે કૉલ કરેલ. અમરેલી 108 એમ્બ્યુલન્સ પુંજાપાદર ગામ જવા રવાના થઈ હતી. ઇએમટી સાગર મકવાણા તથા પાઈલોટ આરિફભાઈ શેખ જરૂરી મેડિકલ સાધનો લઈ સ્થળ પર પહોંચી દર્દીની તપાસ કરતા દર્દી ને સર્પદંશ જગ્યા પર સોજો આવી ગયેલ તથા ઝેરી અસર થયેલ જણાતાં તુરંત એમ્બ્યુલન્સમાં લઈ અમદાવાદ ઓફિસમાં રહેલા ડોક્ટર ની સલાહ પ્રમાણે ઓક્સિજન તથા જરૂરી ઇમરજન્સી ઇન્જેક્શન અને સારવાર આપી અમરેલી સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ આવ્યા હતાં.અને દર્દી નો અમૂલ્ય જીવ બચાવ્યો. દર્દીના સગા સંબંધીઓ એ ૧૦૮ ના કર્મચારી નો આભાર માન્યો હતો. તથા 108 ઈમરજન્સી પ્રોગ્રામ મેનેજર દિલીપ સોલંકી અને જિલ્લા અધિકારી યુવરાજસિંહ ઝાલા દ્વારા પણ સારી કામગીરી કરવા બદલ અમરેલી 108ના સ્ટાફ ને અભિનંદન પાઠવ્યા હતા. આમ ફરી એક વખત 108 ઇમરજન્સી સેવા આશીર્વાદ રૂપ બની હતી….
લીલીયા તાલુકાના પુંજાપાદર ગામના સર્પદંશ ના કિસ્સામાં દર્દી નો અમૂલ્ય જીવ બચાવી 108 દેવદૂત બની

Recent Comments