અમરેલી

લીલીયા તાલુકાના બવાડા મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક કમ કુક (વ્યવસ્થાપક)ની આવશ્યકતા

લીલીયા તાલુકાના બવાડા મધ્યાહન ભોજન કેન્દ્ર માટે સંચાલક કમ કુક (વ્યવસ્થાપક)ની આવશ્યકતા છે. આ જગ્યા માટે તા.૧૬ ઓક્ટોબર,૨૦૨૩ સુધીમાં લીલીયા તાલુકા મામલતદાર કચેરી ખાતે કચેરી કામગીરી સમય દરમિયાન ફી ભરી અને અરજી બપોરે ૦૨ વાગ્યા સુધીમાં રજિસ્ટ્રી ટેબલ પર પહોંચાડવાની રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ આધાર પુરાવા સાથે જરુરી વિગતો ભરીને અરજી પત્રક લીલીયા તાલુકા  મામલતદાર કચેરી ખાતે રજૂ કરવા. આ કેન્દ્રમાં સંચાલકની આવશ્યકતા માટેની અરજી ઉમેદવારોની લાયકાત, ઉંમર  સરકારના ઠરાવેલ ધોરણો અનુસાર હશે તેમને રૂબરૂ બોલાવવામાં આવશે.

આ જગ્યાઓ માટે સરકાર દ્વારા નિયત માનદ વેતન આપવામાં આવશે. અરજી કરવાનું નિયત નમૂના પત્રક લીલીયા તાલુકા મામલતદાર કચેરી ખાતેથી જાહેર રજાના દિવસો સિવાય કચેરી સમય દરમિયાન મળશે.  આ નિમણુક અનાજ દળવાની ઘંટી ચલાવતા વ્યક્તિને, વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિને, શાકભાજી, મરી મસાલા, જલાઉ લાકડાનો વ્યાપાર કરતા, અન્ય ધંધાથી વેપાર કરતી કે દુકાન ચલાવતી વ્યક્તિઓને, ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોય, પોલીસ ફરિયાદ થઈ હોય, કોર્ટ દ્વારા સજા થઈ હોય તેવા અરજદારો દ્વારા અરજી આપી શકાશે નહીં. આ ઉપરાંત અરજદાર સ્થાનિક સ્વરાજની સંસ્થા, વિધાનસભા, લોકસભા, અથવા કોઈ પણ સહકારી સંસ્થા, રજિસ્ટર્ડ સોસાયટી, રજિસ્ટર્ડ ટ્રસ્ટમાં માનદ સેવાનું અથવા ચૂંટાયેલું પદ ધરાવતા હોય અને તેવું પદ છોડવા માંગતા ન હોય તો અરજી કરી શકશે નહીં,  તેમ મામલતદારશ્રી લીલીયાએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts