કાર્યદક્ષ પોલીસ કમિશનર અજય કુમાર તોમર નિવૃત્ત થયા બાદ સુરત શહેર પર જાણે પનોતી શ્વાર થયેલ હોય તેમ હત્યાઓ, લુંટ, લુખ્ખાતત્વોનાં ત્રાસ પરાકાષ્ઠા પર પોહચી ગયા હોય આવા વિશિષ્ટ સંજોગો કંટ્રોલ કરવા ગાંધીનગર અને કેન્દ્રીયચૂંટણીપંચ દ્વારા રાજકોટ અને વડોદરામાંઅપરાધીઓને કાયદાનું ભાન કરાવનાર અનુપમસિંહગેહલોતની પસંદગી કરતા પોતાની પસંદગી સાર્થક કરતા હોય તેમ પોલીસ ઇન્સ્પેક્ટર સહિત વિવિધ અધિકારી, સ્ટાફવિગેરે પાસેથી માહિતી મેળવીપીસીબીપીઆઇઆર.એસસુવેરા સાથે ચર્ચા કરી તેમની દરખાસ્ત આધારે એક જ દિવસમાં ૧૭ અપરાધીઓને પાસા હેઠળ અને ૨૧ ને તફીસ કરી સુરતમાં લુખ્ખાઓનું નહિ ફાયદાનું રાજ હોવાની પ્રતીતિ કરાવી લોકોની વાહવાહ મેળવનાર પોલીસ કમિશ્નરઅનુપમસિંહગેહલોતે વધુ એક મહત્ત્વની નિર્ણય કરી ફરીથી એક ડઝન લોકોનો પાસાનાં પિંજરે પુરાવી દીધા છે, અસામાજિક તત્વોમાં સન્નાટો વ્યાપી જવા સાથે સુરતના સીધા અને સજ્જન લોકોમાં પોલીસ કમિશનર અને તેમની ટીમ ઉપર સતત અભિનંદન વર્ષી રહ્યા છે.
પીસીબીપીઆઇઆર.એસ . સુવેરા ટીમ દ્વારા રાત દિવસનાઉજાગરા કરી જાતીય સતામણી, ઘરફોડ ચોરી, ગુંડાગીરી કરનાર સામે જે રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવી તે બદલ તમામનેઅભિનદન આપી યે તો સિર્ફ ઝાંખી હૈ, મૈનપિકચરઅભી બાકી હૈ, તેમ જણાવી આવા માથાભારે, રીઢા ગુનેગાર, બુટલેગર, વ્યાજખોર, લુખ્ખાવિગેરે સામે આ કાર્યવાહી અવિરત રાખવા સતત સક્રિય રહેવા પણ સૂચન કરેલ છે, મતલબ પાસા, તડીપાર પગલાં હવે અવિરત રહશે તેવું પોલીસ તંત્ર વ્યાપક રીતે માનવા લાગ્યું છે.
Recent Comments