રાષ્ટ્રીય

લેબનોનમાં ઈરાનના રાજદૂતએ પેજર હુમલામાં ઘાયલ થવાની ઘટના અંગે ખુલીને વાત કરી

પેજરમાં બ્લાસ્ટ થતા પહેલા એક મેસેજ ફ્લૅશ થયો હતો, સંદેશ વાંચવા માટે બટન દબાવતા જ તે વિસ્ફોટ થયો હતો ઃ મોજતબા અમાની લેબનોનની રાજધાની બેરૂતમાં ઈઝરાયેલના પેજર હુમલામાં ઘાયલ થયેલા લોકોમાં ઈરાનના રાજદૂત પણ સામેલ હતા. પેજરના હુમલામાં તેમની આંખ અને હાથમાં ગંભીર ઈજાઓ થઈ હતી. હાલમાં જ તેની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં તેઓ ઘાયલ આંખ સાથે જાેવા મળી રહ્યો છે. લેબનોનમાં ઈરાનના રાજદૂત મોજતબા અમાનીએ હવે આ હુમલા અંગે ખુલીને વાત કરી છે. તેમણે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે જે પેજરમાં બ્લાસ્ટ થયો હતો. તેને હિઝબુલ્લાએ ખરીદ્યું હતું.

સમગ્ર ઘટનાની વિગતોનો ક્રમ આપતા અમાનીએ જણાવ્યું કે પેજરમાં બ્લાસ્ટ થતા પહેલા એક મેસેજ ફ્લૅશ થયો હતો. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે તમારા માટે એક મહત્વપૂર્ણ સંદેશ છે અને મેં તે સંદેશ વાંચવા માટે બટન દબાવતા જ તે વિસ્ફોટ થયો હતો. હિઝબુલ્લાહ માટે આ પેજર્સની જરૂરિયાત પર ભાર મૂકતા તેમણે લેબનોન વિશે કહ્યું કે લેબનોન બહુ મજબૂત રાષ્ટ્ર નથી. તેમાં કોઈ રાષ્ટ્રપતિ નથી અને વડાપ્રધાન પણ કામચલાઉ છે. દેશમાં આ અસ્થિરતાને કારણે, હિઝબુલ્લાહને પેજરની જરૂર પડે છે, જેથી કરીને તેના લોકોને ઇઝરાયેલના હવાઈ હુમલાઓ વિશે ચેતવણી આપી શકાય. મોજતબા અમાનીએ એમ પણ કહ્યું હતું કે લેબનોનમાં પેજર બ્લાસ્ટ થયા ત્યારથી હિઝબુલ્લાહ પેજરનો ઉપયોગ કરી રહ્યું નથી અને સંગઠનના સભ્યો હવામાં ફાયરિંગ કરીને ચેતવણી આપી રહ્યા છે.

અમાની ઈરાનના વિદેશ મંત્રી સાથે જાેવા મળ્યા હતા. આ બેઠક યોજાઈ હતી. તસવીરોમાં અમાની ઘાયલ આંખ અને હાથ પર પટ્ટી બાંધેલી જાેવા મળી હતી. આ દરમિયાન ઈરાની મીડિયામાંથી સમાચાર આવ્યા કે અમાની ફરીથી ફરજ પર પરત ફરવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે સપ્ટેમ્બરમાં લેબનોનમાં સીરિયલ પેજર બ્લાસ્ટ થયા હતા. હિઝબુલ્લાહ દ્વારા સંદેશાવ્યવહાર માટે ઉપયોગમાં લેવાતા પેજર પર થયેલા વિસ્ફોટોમાં ૩,૦૦૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા અને લગભગ ૪૦ લોકોના મોત થયા હતા.

ઘાયલોમાં હિઝબુલ્લાહ લડવૈયાઓ અને આરોગ્ય કર્મચારીઓ પણ સામેલ હતા. આ હુમલામાં ઈરાનના રાજદૂત મોજતબા અમાની પણ ઘાયલ થયા હતા. નેતન્યાહુએ પેજર હુમલાઓને મંજૂરી આપી હતી કે તેણે સપ્ટેમ્બરમાં લેબનોન સ્થિત આતંકવાદી જૂથ હિઝબુલ્લાના ઠેકાણાઓ પર પેજર હુમલાને મંજૂરી આપી હતી, જેમાં લગભગ ૪૦ આતંકવાદીઓ માર્યા ગયા હતા અને ૩,૦૦૦ થી વધુ ઘાયલ થયા હતા. નેતન્યાહુના પ્રવક્તા ઓમર દોસ્તરીએ ન્યૂઝ એજન્સી એએફપીને જણાવ્યું, ‘નેતન્યાહૂએ રવિવારે પુષ્ટિ કરી કે તેમણે લેબનોનમાં પેજર ઓપરેશનને લીલી ઝંડી આપી દીધી છે.’

Related Posts