અમરેલી

લોકનૃત્ય તાલીમ શિબિરમાં ભાગ લેવા ઇચ્છુક અનુસૂચિત જાતિના કલાકારોએ ૧૮ નવેમ્બર સુધીમાં અરજી કરવી

રમત ગમત વિભાગ દ્વારા અનુસુચિત જાતિના કલાકારોની પરંપરાગત કલાને જીવંત રાખવા વિવિધ કાર્યક્રમો અંતર્ગત લોકનૃત્ય તાલીમ શિબિર ચાલુ વર્ષે પ્રદેશકક્ષાએ જૂનાગઢ ખાતે યોજાનાર છે તો અમરેલી જિલ્લાનાં ૧૪ થી ૩૫ વર્ષની વય મર્યાદાવાળા વિદ્યાર્થી, બિનવિદ્યાર્થી યુવક/યુવતીઓને “લોકનૃત્ય તાલીમ શીબિર” માં જોડાવાની ઉમદા તક આપી પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં “લોકનૃત્ય તાલીમ શીબિર” યોજવાનું નક્કી કર્યું છે. આ શિબિર દરમ્યાન નિવાસ, ભોજન તેમજ પ્રવાસ ભથ્થું રાજ્ય સરકારશ્રી દ્વારા આપવામાં આવશે. આ શિબિરમાં ફક્ત અનુસૂચિત જાતિના કલાકારો ભાગ લેવા પાત્ર છે. આ શિબિરમાં ભાગ લેવા માટે કલાકારોએ સાદા કાગળમાં પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ સાથે નામ-સરનામું, મોબાઈલ નંબર, કલાક્ષેત્રે કરેલ કામગીરીની સંક્ષિપ્ત માહિતી સાથેની અરજીઓ જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળીભવન, બ્લોક-સી, પ્રથમ માળ, રૂમ.૧૧૦-૧૧૧,અમરેલી ખાતે તા.૧૮/૧૧/૨૦૨૧ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં મોકલી આપવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવ્યું છે. 

Related Posts