ભારતના વડાપ્રધાનશ્રીના ભાવનગર ખાતેના આગામી તા.૦૬/૧૧/૨૦૨૨ નાં પ્રવાસ કાર્યક્રમ અન્વયે રોડ, સભાસ્થળ ફરતાં રસ્તાઓ ઉપર ટ્રાફિક નિયમન જળવાઈ રહે અને ટ્રાફિક સમસ્યા ઉભી ન થાય તે માટે તા. ૦૬/11/૨૦૨૨ના રોજ કલાકઃ ૧૫-૦૦ થી કલાકઃ ૨૦-૦૦ સુધી નીચે દર્શાવેલ રસ્તાઓ પર તમામ વાહનો (સરકારી ફરજ તથા મેડિકલ ઈમરજન્સી સિવાયના) ની અવર-જવર માટે સંપૂર્ણપણે બંધ કરવાં વાહન પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવાં અંગે પોલીસ અધિક્ષકશ્રી, ભાવનગરના પત્ર નં. એલઆઈબી/જા.ના./૪૫૧૫/ ૨૦૨૨, તા.૨૪/૦૯/૨૦૨૨થી દરખાસ્ત રજૂ થયેલ છે. જે દરખાસ્ત મુજબનું જાહેરનામું બહાર પાડવું ઉચિત જણાય છે.
ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) હેઠળ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર શ્રી બી.જે. પટેલે તા.૦૬/૧૧/૨૦૨૨ના રોજ કલાકઃ ૧૫-૦૦ થી કલાકઃ ૨૦-૦૦ સુધી નીચે દર્શાવેલ રસ્તાઓ પર પ્રવેશબંધી જાહેર કરી છે.
જવાહર મેદાન ફરતાં તમામ રસ્તાઃ
(૧) આતાભાઇ ચોકથી પ્લોટ ગેઇટ પોલીસ ચોકી સુધી- ગુરૂદ્વારા સામેના રોડથી.
(ર) રાધામંદિરથી રબ્બર ફેક્ટરી રોડ સુધી
(૩) રબ્બર ફેક્ટરી સર્કલથી ઘોઘાસર્કલ સુધી
(૪) ઘોઘા સર્કલથી ગોળીબાર હનુમાનજી મંદિર તરફ જતો રસ્તો-રૂપાણી સર્કલ સુધી
ડાયવર્ઝન રૂટ:-
ઉપરોક્ત બંધ રસ્તે આવતા વાહનો માટેનો ડાયવરર્ઝન રૂટ:- આતાભાઇ ચોકથી સેન્ટ્રલ સોલ્ટ તરફ, રાધા મંદિરથી સંત કવરામ ચોક, રસાલા કેમ્પ તરફ, રબ્બર ફેક્ટરીથી જોગર્સ પાર્ક, ક્રેસન્ટ તરફ, ઘોઘા સર્કલથી રૂપાણી તરફ.
આ જાહેરનામા અન્વયે જાહેર સેવા તંત્ર સાથે સંકળાયેલા અને ફરજ પરના વાહનોને તથા અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને આ જાહેરનામામાંથી મુકિત આપવામાં આવે છે.
આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.
જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલાં લેવાં માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવાં ફરજ પરના અધિકારીશ્રીને અધિકાર રહેશે તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગરના જાહેરનામામાં જણાવાયું છે.
Recent Comments